ગુજરાત

gujarat

By

Published : Mar 20, 2020, 5:32 AM IST

ETV Bharat / bharat

નિર્ભયા કેસઃ સુર્યોદય પહેલા થયો નરાધમોની જિંદગીનો સુર્યાસ્ત...

દિલ્હીના નિર્ભયા કેસે સમગ્ર દેશને હચમચાવ્યો છે. ત્યારે આરોપીઓને જલ્દી ફાંસી થાય તેવી માગ સમગ્ર દેશના લોકો કરી રહ્યા હતા. આખરે 20 માર્ચ શુક્રવારના રોજ સવારે 5:30 વાગ્યે નિર્ભયા કેસના ચારેય નરાધમોને ફાંસીના ફંદે લટકાવી દેવામાં આવ્યા છે. આ નિર્ભયા દુષ્કર્મ કાંડમાં 6 નરાધમો સામેલ હતા.

Delhi rape case
દિલ્હીના નરાધમોનો આખરે અંત

નવી દિલ્હીઃ નિર્ભયા કાંડના ચારેય દોષિતોને આજે સવારે 5ઃ30 વાગ્યે ફાંસી આપવામાં આવી છે. દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના દિવસે 6 નરાધમોએ ચાલુ બસે દુષ્કર્મ આચર્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલી નિર્ભયાએ આખરે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ ઘટનામાં નિચલી કોર્ટે 5 દોષિતોને ફાંસીની સજા કરી હતી. જ્યારે એક આરોપી સગીર હોવાથી 3 વર્ષની સજા બાદ તે છૂટી ગયો હતો.

નિર્ભયાના ચારેય આરોપીઓને આજે સવારે 5:30એ ફાંસીઆપવામાં આવી હતી. આ પહેલા દોષિતોની એક પછી એક અરજીઓના કારણે ફાંસીના મામલે વિલંબ થયો હતો.

જાણો, આ પહેલા ક્યારે થવાની હતી ફાંસી ..?

  • 22 જાન્યુઆરી 2020એ સવારે 6 વાગ્યે ફાંસી થવાની હતી
  • 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવા ડેથ વોરંટ જાહેર કરાયું હતું
  • 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી થવાની હતી
  • 5 માર્ચે દિલ્હી કોર્ટે સવારે 5:30 ફાંસી આપવા આદેશ કર્યો હતો

ABOUT THE AUTHOR

...view details