નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3000 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 59,746 થઇ ગઇ છે. સતત ત્રીજા દિવસે સંક્રમિતોની સંખ્યા 3 હજારને પાર થઇ ગઇ છે. તેમજ મોતના આંકડામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હી સરકારના હેલ્થ બુલેટીન મુજબ છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાને કારણે 63 લોકોના મોત થયાં છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3000 નવા કેસ નોંધાયા
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59 હજારને પાર થઇ ગઇ છે. સતત ત્રીજા દિવસે 3 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે.
દિલ્હી
છેલ્લા 24 કલાકમાં, 1719 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. આ સાથે દિલ્હીમાં કોરોનાથી કુલ 33,013 લોકો સ્વસ્થ થયાં છે. આપને જણાવી દઇએ કે, 20 જૂનના બુલેટિન અનુસાર 24 કલાકમાં 7725 લોકો સ્વસ્થ થયાં હતા. તેમજ દિલ્હીમાં કોરોનાના કુલ 24,558 એક્ટિવ કેસ છે.