ગુજરાત

gujarat

CAA વિરૂદ્ધ આજે રાજઘાટ પર કોંગ્રેસનો 'સત્યાગ્રહ'

By

Published : Dec 23, 2019, 11:13 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીએ નાગરિકતા સુધારા કાયદા (CAA)ની વિરૂદ્ધ સોમવારે રાજઘાટ પર સત્યાગ્રહ કરવાનો નિર્ણય કર્યો છે. આ ધરણામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાર્ટીના ટોચના નેતાઓ સામેલ થાય તેવી શક્યતાઓ છે.

congress
કોંગ્રેસ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશના યુવાનોને અપીલ કરી કે, સોમવાર બપારે 3 કલાકે તેમની સાથે રાજઘાટ પર ધરણામાં જોડાવો. કોંગ્રેસ આજે રાજઘાટ પર CAA વિરૂદ્ધ પ્રદર્શન કરશે.

કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ધરણા રવિવારે થવાના હતા, પરંતુ રવિવારે મંજૂરી ન મળતા આજે આ કાર્યક્રમ થઇ રહ્યો છે.

કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી વેણુગોપાલે એક નિવેદનમાં જણાવ્યું કે, સોમવારે મહાત્મા ગાંધીની સમાધી નજીક સત્યાગ્રહ કરવામાં આવશે.

તેમણે દાવો કર્યો કે, કેન્દ્ર અને રાજ્યોની ભાજપ સરકાર યુવાનો અને વિદ્યાર્થીઓ વિરૂદ્ધ બળનો પ્રયોગ કર્યો છે. જેથી પરિસ્થિતિ વધારે ખરાબ થઇ હતી.

આ સત્યાગ્રહની તૈયારીઓના સંદર્ભમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ એક બેઠક પણ કરી હતી.

કોંગ્રેસ CAAને ગેરબંઘારણીય ગણાવીને તેનો વિરોધ કરી રહી છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે કહ્યું હતું કે, CAA અને NRCને બંધારણની મૂળ આત્માના વિરૂદ્ધ છે. તમે જનતાનો આવાજ દબાવવા માટે સરકાર દ્વારા તાનાશાહીનું તાંડવ થઇ રહ્યું છે.

પ્રિયંકા ગાંધીએ આ પણ આરોપ લગાવ્યો કે, નાગરિકતા કાયદો અને NRCના નામે ગરીબ લોકોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details