ગુજરાત

gujarat

By

Published : Dec 14, 2019, 4:13 AM IST

Updated : Dec 14, 2019, 12:06 PM IST

ETV Bharat / bharat

કોંગ્રેસની 'ભારત બચાઓ રેલી' પહેલા રાહુલનો હુંકાર

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી યોજી રહી છે. જેમાં મુદ્દા આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલાઓ વિરુદ્ધ હિંસા, બેરોજગારી અને બંધારણને રહેશે. આ રેલીમાં જેમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને કાર્યકરો જોડાશે, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહેશે. આ રેલીમાં ભાગ લેવા માટે કોંગ્રેસના લાખો કાર્યકરો દેશના ખૂણે ખૂણેથી રામલીલા મેદાન પહોંચ્યા છે.

bharat bachao rally
કોંગ્રેસની આજે 'ભારત બચાવો' રેલી, ભાજપની ભાગલાવાદી નીતિઓને ઉઘાડી પાડશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલી પહેલા એક ટ્વીટ કરી લખ્યું કે, 'હું દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત ભાજપ સરકારની તાનાશાહી, ICUમાં ધકેલાય ગયેલા અર્થતંત્રના વિરોધમાં જાહેર સભાને સંબોધન કરીશ.'

કોંગ્રેસ નેતા અહમદ પટેલ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત, કે.સી. વેણુગોપાલ, મુકુલ વાસનિક અને અવિનાશ પાંડે સહિત કોંગ્રેસના મોટા નેતાઓએ રામલીલા મેદાનમાં રેલીની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી.

મોદી સરકારની જનવિરોધી અને દ્રેષભાવપૂર્ણ નીતિઓની વિરૂદ્વમાં આયોજીત આ રેલીમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં કાર્યકરો જોડાશે.

આ પહેલા દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાએ સભાસ્થળની સમીક્ષા કરી હતી. ચોપડાએ એવો દાવો કર્યો હતો કે, આ કાર્યક્રમમાં દિલ્હીના 50,000થી પણ વધુ લોકો ભાગ લેશે.

કોંગ્રેસના પ્રવક્તા મુકેશ શર્માએ કહ્યુ હતું કે, આ સભામાં પાર્ટીના લાખો કાર્યકરો દેશભરમાંથી આવશે. આ સભાને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધશે.

.

Last Updated : Dec 14, 2019, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details