ગુજરાત

gujarat

સિક્કિમ મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા

By

Published : May 24, 2020, 12:36 PM IST

દિલ્હીની કેજરીવાલ સરકારે જાહેર કરેલી વિવાદિત જાહેરાત કેસમાં દિલ્હીના ઉપરાજ્યપાલે મોટી કાર્યવાહી કર્યા બાદ સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. જે અંગે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે.

વિવાદિત જાહેરાત
વિવાદિત જાહેરાત

નવી દિલ્હી: દિલ્હી સરકાર દ્વારા નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોની ભરતી અંગે એક જાહેરાત કરી હતી. જેમાં, સિક્કિમને એક અલગ દેશ તરીકે વર્ણવવામાં આવ્યો હતો. જેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આ અંગે કેજરીવાલ સરકારના પર સવાલ ઉઠાવ્યા હતા અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ કેસમાં ઉપરાજ્યપાલ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

સિક્કિમ વિવાદિત કેસ

એલજી એક્શન

લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે આ સંદર્ભે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે, નાગરિક સંરક્ષણ નિયામક (હેડ ક્વાર્ટર્સ) ના વરિષ્ઠ અધિકારીને જાહેરાત જાહેર કરવાના મામલામાં તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે ભારતની સાર્વભૌમત્વની અવમાન છે.

મુખ્યપ્રધાનની સ્પષ્ટતા

ઉપરાજ્યપાલે તે જાહેરાત તાત્કાલિક અસરથી હટાવવા સૂચના પણ આપી છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નરના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું છે કે, સિક્કિમ ભારતનો અભિન્ન અંગ છે અને આવી ભૂલોને સહન કરી શકાય નહીં. તેમણે લખ્યું છે કે, આ જાહેરાત હટાવી દેવામાં આવી છે અને સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

AAPએ કર્યો બચાવ

ઉલ્લેખનીય છે કે, આ જાહેરાત બહાર આવ્યા બાદ ભાજપ કોંગ્રેસ દ્વારા જ્યારે સવાલ ઉઠાવ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટીએ તેને રાજકારણ ગણાવ્યું હતું. પક્ષના ટ્વિટર હેન્ડલ પરથી જે ટ્વીટ કરવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં જ્યારે દિલ્હી સરકાર અન્ય સરકારો સાથે કામ કરવા માંગે છે ત્યારે ભાજપ-કોંગ્રેસના નેતાઓ રાજકારણમાં વ્યસ્ત છે.

દિલ્હી સરકારની જાહેરાત એમએચએના આદર્શોને સ્પષ્ટપણે અનુસરે છે. આ બાબતે કાર્યવાહી કર્યા પછી બદલાયેલો સ્વર હવે બેકફૂટ પર આવી ગયો છે. ખુદ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે હવે કહ્યું છે કે, આ જાહેરાત ખોટી છે અને કહ્યું છે કે, સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details