વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, બે દિવસીય બેઠકમાં સીમા પ્રબંધન, દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
વિદેશ મંત્રાલયે કહ્યુ હતું કે, બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય સલાહકાર અજિત ડોભાલ કરશે. જ્યારે ચીનના વિદેશ પ્રધાન સ્ટેટ કાઉંસિલર વાંગ યેઈ ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. સરહદ મુદ્દે ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓની આ 22મી બેઠક છે.