ચેન્નઈઃ શહેરની એક કંપનીએ એક એવી મશીન બનાવવાનો દાવો કર્યો છે કે, જેમાં કોરોના દર્દીઓ અને સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓ વચ્ચે દૂર બેઠા સંપર્ક રહે છે. કંપનીના સીઈઓ વિગ્નેશ્વરે કોવિડ-19ના દર્દીઓ માટે પેશન્ટ કેર સિસ્ટમ રજૂ કરી. દર્દીઓ આ કેર સિસ્ટમનું બટન દબાવી આસાનીથી સ્વાસ્થ્યકર્મીઓનો સંપર્ક કરી શકે છે.
કોરોના એક એવી બિમારી છે, જે એકબીજાના સંપર્કમાં આવતા ફેલાય છે. આ બિમારીનો વધુ ભોગ સ્વાસ્થ્યકર્મીઓ બનતા હોય છે. જો દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોય તો ડૉક્ટર્સ અને નર્સે વારંવાર તેમના સંપર્કમાં આવવું પડતું હોય છે. આવામાં આ પ્રકારનું મશીન ખુબ જ ફાયદાકારક નિવડે છે. આ મશીન દર્દીઓને આપવામાં આવે છે. જેમાં જરૂરી સમયે સ્માર્ટ બટન દબાવી સ્વાસ્થ્યકર્મીઓનો સંપર્ક કરી શકાય છે.