લોકસભા ચૂંટણી માટે યુપીમાં માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટીએ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સહારનપુરથી હાઝી ફઝર્લુરહમાન, બિઝનોરથી મલૂક નાગર, નગીનાથી ગિરિશ ચંદ્ર, અમરોહથી કુંવર દાનિશ અલી, મેરઠથી હાઝી મોહમ્મદ યાકૂબ, ગૌતમબુદ્ધ નગરથી સતકબીર નાગર, બુલંદશહેરમાંથી યોગેશ વર્મા, અલીગઢમાંથી અજીત બાલીયાન, આગરાથી મનોજ કુમાર સોની, ફતેહપુરમાંથી રાજવીર સિંહ તથા આવલાથી રુચિ વોરાને ઉમેદવાર બનાવ્યા છે.
બસપાએ જાહેર કરી 11 ઉમેદવારોની યાદી
ન્યૂઝ ડેસ્ક: આગામી લોકસભા ચૂંટણી માટે યુપીમાં બસપા સુપ્રીમો માયાવતીએ 11 ઉમેદવારોની એક યાદી હાલમાં જ જાહેર કરી છે, જેમાં કેન્દ્રીય પ્રધાન મહેશ શર્માની વિરુદ્ધ સતકબીર નાગરને ઉતાર્યા છે.
બસપાએ જાહેર કરી 11 ઉમેદવારોની યાદી
આપને જણાવી દઈએ કે, યુપીમાં આગામી લોકસભા માટે સપા અને બસપા વચ્ચે ગઠબંધન થયું છે, જેમાં બસપા 38 તથા સપા 37 બેઠકો પર લડશે. ઉપરાંત અજીત સિંહની પાર્ટી રાલોદ સાથે પણ ગઠબંધન કર્યું છે.