ગુજરાત

gujarat

પૂર્વ ત્રિપુરાના BJP સાંસદનો આરોપ: CABના સમર્થનમાં મતદાન કરવાથી મળી ધમકી

By

Published : Dec 24, 2019, 10:04 AM IST

અગરતલા: ભાજપના સાંસદ રેબતી કુમારે દાવો કર્યો કે, તેમણે સંસદમાં નાગરિકતા સુધારા કાયદા (CAA)ના સમર્થનમાં વોટ આપવાથી નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (NlFT)થી ધમકીઓ મળી હતી.

BJP
ભાજપ

પૂર્વ ત્રિપુરાના સાંસદ રેબતી કુમારે કહ્યું કે, તેમણે પાંચ દિવસ પહેલા NlFTનો પત્ર મળ્યો હતો, જેમાં તેમણે સંસદમાં CABના સમર્થનમાં વોટ આપ્યો તો, ગંભીર પરિણામ ભોગવવા પડશે. તેવી ચેતવણી આપવામાં આવી હતી.

રેબતી કુમારે મીડિયાને કહ્યું કે, તેમણે મને ધમકી આપતા કહ્યું કે, જો સંસદમાં CABના સમર્થમાં વોટ આપ્યો તો, રાજ્યના આદિવાસીઓના મુદ્દાઓની સાથે વિશ્વાસઘાત કર્યો છે. હું એક પાર્ટીનો સાંસદ છું. જેને CAB(નાગરિકતા સંશોધન બિલ)ના સમર્થનમાં મતદાન કરવા માટે વ્હિપ જાહેર કર્યું હતું. બધાને ખબર છે કે, વ્હિપનું ઉલ્લંઘન કરવાનું પરિણામ શું હોય છે.

ઉલ્લેખનીય છે કે, પહેલી વાર નથી કે, સાંસદ રેવતી ત્રિપુરાની પ્રમુખ જનજાતિના નેતાઓમાંથી એક છે. તેમણે કહ્યું કે, ત્રિપુરાના લોકો અલ્પસંખ્યક બની જવાની ચિંતા છે. પરંતુ તેમનો દાવો CAAને પ્રભાવિત નહી કરે.

નેતાએ કહ્યું કે, આ ધમકીની સામે નહી ઝુકી જાય, પરંતુ રાજ્યના આદિવાસી લોકો માટે કામ કરતા રહેશે.

ABOUT THE AUTHOR

...view details