ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપે રામમંદિર બનાવાનો સંકલ્પ કર્યો છે: અમિત શાહ

ન્યૂઝ ડેસ્ક: ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉત્તરપ્રદેશના જૌનપુરમાં રામ મંદિર અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપનું માનવું છે અહિં જલ્દીથી ભવ્ય રામ મંદિર બને તે માટે ભાજપે સંકલ્પ કર્યો છે અને અમે તે કોઈપણ પરિસ્થિતીમાં પુરૂ કરીશું.

By

Published : Feb 8, 2019, 9:13 PM IST

ram mandir

આ દરમિયાન શાહે વિપક્ષી પાર્ટીઓ ઉપર પણ પ્રહારો કર્યા હતાં. શાહે કહ્યું કે, દેવગૌડા લખનઉ કોઈ ફર્ક પડયો? મમતા દીદી કાશી તો શું કોઈ ફર્ક પડશે ખરો? ચંદ્રબાબુ મિર્જાપુર આવશે કે સ્ટાલિન જૌનપુરમાં સભા કરશે તો શું કોઈ ફર્ક પડશે ખરો? ભાજપનાં બધા જ પાર્ટી મેમ્બરો પોતાપોતાના રાજ્યમાં ચૂંટણી જીતીને 2014માં સત્તામાં આવ્યાં છે.

આ પહેલા અમિત શાહે અલીગઢમાં પણ કહ્યું હતું કે, ભાજપનો મત સાફ છે કે રામ મંદિર અયોધ્યામાં જ બનશે. SP, BSP અને કોંગ્રેસે પોતાના એજન્ડાઓ ક્લીયર કરવા જોઈએ કે તેઓ રામમંદિર બનાવા માગે છે કે નહિ.

ABOUT THE AUTHOR

...view details