ગુજરાત

gujarat

CAA ફક્ત મુસ્લિમ માટે નહીં, ભારતીયો માટે ચિંતાનો વિષય: ઓવૈસી

By

Published : Dec 22, 2019, 1:28 PM IST

હૈદરાબાદ: AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓેવૈસીએ કહ્યું કે, નાગરિકતા સુધારા કાયદો (CAA) ફક્ત મુસ્લિમો માટે નહીં, પરંતુ બધા ભારતીયો માટે ચિંતાનો વિષય છે. દેશમાં CAAના વિરૂદ્ધ સતત પ્રદર્શનો થઇ રહ્યાં છે.

Owesi
ઓવૈસી

હૈદરાબાદના સાંસદ ઓવૈસી શનિવારે મોડી રાત્રે કહ્યું કે, હું શું કામ લાઇનમાં ઉભું રહ્યું અને સાબિત કરું, મે આ ધરતી પર જન્મ લીધો છે. હું ભારતનો નાગરિક છું. બધા 100 કરોડ ભારતીયોને લાઇનમાં ઉભા રહેવું પડશે. (નાગરિકતાનું પ્રમાણપત્ર દેખાડવા માટે) આ ફક્ત મુસ્લિમનો મુદ્દો નથી, પરંતુ બધા ભારતીયો માટે ચિંતાનો વિષય છે. હું મોદી ભક્તોને કહેવામાં માગું છું કે, તમારે લાઇનમાં ઉભા રહેવું પડશે અને ડોક્યુમેન્ટ લાવવા પડશે.

દારુસ્સલામમાં મુસ્લિમ સમૂહોની સંસ્થા યુનાઈટેડ મુસ્લિમ એકશન કમિટી દ્વારા આયોજિત એક બેઠકમાં ઓવૈસીએ કહ્યું કે, ભારતીય મુસ્લિમે ભાગલાના સમયે જિન્નાના બે રાષ્ટ્રના સિદ્ધાંતને નકરતા ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.

તમે 'શાહ' હશો, પરંતુ દેશનું બંધારણ 'બાદશાહ' છેઃ ઓવૈસી

ભાજપના ઘણા મુસ્લિમ રાષ્ટ્ર હોવાના દાવા પર તેમણે કહ્યું કે, અમારો તેની સાથે કોઇ લેવા દેવા નથી. મને ફક્ત ભારતની ચિંતા છે. ભારત અને ફક્ત ભારત સાથે પ્રેમ છે. (તમે કહો છો) ઘણા બધા મુસ્લિમ રાષ્ટ્ર છે. તમે ત્યાં જતા રહો. મને કેમ કહી રહ્યાં છો.

ઓવૈસીએ કહ્યું કે, હું મારી ઇચ્છા અને જન્મથી ભારતીય છું...જો ગોળી મારવા માગતા હો, તો મારી દો.તમારી ગોળીઓ પૂરી થઇ જશે, પરંતુ ભારત માટે મારો પ્રેમ સમાપ્ત નહીં થાય. અમારા પ્રયત્ન દેશને મારવાનો નહીં, પરંતુ બચાવવાનો છે.

ઓવૈસીએ કહ્યું કે, અભિયાન બંધારણ બચાવવા માટે છે. અમે બધા ભારતીયોને અપીલ કરીએ છીએ કે, જે CAA અને NRCની વિરૂદ્ધ છે. રવિવારે પોત પોતાના ધરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવો. જે ફાસીવાદી શક્તિઓ વિરુદ્ધ સંદેશ આપે અને કહે કે, આ એક વ્યક્તિનું ઘર છે, જેને દેશ સાથે પ્રેમ છે.

બંધારણની પ્રસ્તવાના વાંચતા ઓવૈસીએ કોઇ પણ પ્રકારની હિંસામાં સામેલ ન અપીલ કરી હતી.

આયશા રૈના અને લબેદા ફરઝાના અને આસામના માનવાધિકાર કાર્યકર્તા અમન વદૂદ જેવી હસ્તિઓએ આ બેઠકમાં પોતાની વાત રાખી હતી.

અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદના દારુસ્સલામમાં રેલી કરી હતી.

ઓવૈસીએ રેલીને સંબોધિત કરતા કહ્યું કે, હું મારા મિત્ર જગનમોહન રેડ્ડીને અનુરોધ કરું છું કે, કેન્દ્ર સરકારને પોતાનું સમર્થન ન આપે. આપણે દેશ બચાવવાનો છે.

AIMIMના અધ્યક્ષ ઓવૈસીએ નાગરિકતા કાયદાને કાળો કાયદો ગણાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details