ગુજરાત

gujarat

By

Published : Aug 17, 2019, 10:27 AM IST

ETV Bharat / bharat

અનુચ્છેદ 370 હટાવી મોદી સરકારે વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ

દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રથમ પૂણ્યતિથિના અવસરે શુક્રવારના રોજ  તેમની સમાધિ પર દેશના ગણમાન્ય લોકોએ તેમને શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. સાંજે રફી માર્ગ પર સ્થિત કોસ્ટીટ્યુશન ક્લબમાં એક વ્યાખ્યાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અટલ નીતિ અને રાષ્ટ્ર નીતિના વિષય પર  વક્તવ્ય રજૂ કરાયું હતું.

અનુચ્છેદ 370 હટાવી મોદી સરકારે બાજપાઈને આપી શ્રદ્ધાંજલિ

કેન્દ્રીય પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, "શ્યામા પ્રસાદ મુખર્જીને ખરા અર્થમાં શ્રદ્ધાજંલિ અપાઈ છે. અનુચ્છેદ 370 હટાવવા અટલ બિહારી વાજપેયી કટિબદ્ધ હતા. જેને મોદી સરકારે સાકાર કર્યુ છે."

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજૂએ અટલ બિહારી સાથેના કેટલાંક સંસ્મરણો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "વાજપેયી 60 વર્ષ સુધી વિપક્ષ રહ્યા હતાં. છતાં તે ક્યારેય હતાશ થયા નહોતાં. તેમને ક્યારેય પોતાની સત્તા પર અભિમાન નહોતું. તેમના વિશે કહીશ તો કલાકો તો શું વર્ષ પણ ઓછું પડશે. તેઓ એક મહાન નેતા હતાં."

આમ, અટલ બિહારીની પૂણ્યતિથિના દિવસે દેશના ગણમાન્ય નેતાઓએ વિવિધ મુદ્દાઓ અને વાજપેયી સાથેના સંભારણાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details