ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુત્રીને દુષ્કર્મની ધમકી મળ્યા બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અનુરાગ કશ્યપ

મુંબઈ: લોકસભા ચૂંટણી બાદ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર એક તસ્વીર પોસ્ટ કરી હતી. આ તસ્વીરમાં એક શખ્સ તેમની પુત્રી આલિયા કશ્યપને ધમકી આપી રહ્યો હતો. હવે આ મામલામાં મુંબઈ પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી છે.

By

Published : May 27, 2019, 2:05 PM IST

અનુરાગ કશ્યપે પીએમ મોદીને કર્યું ટ્વીટ...

મુંબઈ પોલીસે ટ્વીટર એકાઉન્ટ પર ચોકીદાર રામ સંઘી દ્વારા આલિયા કશ્યપને ધમકી આપવામાં આવી હતી. પોલીસે કલમ IPC 504 તેમજ 509 હેઠળ FIR દાખલ કરી છે. આ સિવાય IT એક્ટરના સેક્શન 67 હેઠળ પણ આ મામલો દાખલ કરવામાં આવ્યો છે.

મળેલ માહિતી પ્રમાણે અનુરાગ કશ્યપે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ટ્વીટર એકાઉન્ટ કોઈ બીજેપી સમર્થકનું જણાવવામાં આવી રહ્યું હતું. જોકે અનુરાગ કશ્યપે આ મામલે કોઈ પ્રકારની ટિપ્પણી કરી નથી.

અનુરાગ કશ્યપે પીએમ મોદીને કર્યું ટ્વીટ...

લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ અનુરાગ કશ્યપે આ ટ્વીટ કર્યું હતું. અનુરાગે પીએમ મોદીને ટ્વીટ કરીને લખ્યું હતું કે, પ્રિય નરેન્દ્ર મોદી સર. તમને તમારી જીત માટે ખુબ ખુબ અભિનંદન. આ સિવાય બધાને સાથે લઈને ચાલવાના સંદેશ માટે આભાર. અનુરાગે આગળ લખ્યું, સર શું તમે એ જણાવી શકો છો કે તમારા આ સમર્થકો સાથે અમે કંઈ રીતે સહમત થઈએ. આ લોકો તમારી જીતની ઉજવણી મારી પુત્રીને આ પ્રકારના મેસેજ લખીને મનાવી રહ્યાં છે. આનું કારણ એ છે કે, હું તમારી વાતથી સહમત નથી.

ABOUT THE AUTHOR

...view details