ગુજરાત

gujarat

બિહાર પૂર પીડિતોને વ્હારે આવ્યા અમિતાભ બચ્ચન, CM રિલીફ ફંડમાં આપ્યા 51 લાખ રૂપિયા

By

Published : Oct 9, 2019, 7:50 PM IST

બિહારઃ અમિતાભ બચ્ચને બિહાર પૂર પીડિતો માટે 51 લાખ રૂપિયાની સહાય આપી છે. સહાયતા રકમ સાથે તેમણે બિહાર સરકારને એક પત્ર પણ લખ્યો છે. જેમાં પૂર પીડિતો માટે દુઃખ વ્યક્ત કર્યુ છે.

Amitabh Bachchan

બિહારમાં પૂર પ્રભાવિતોની મદદ માટે બૉલીવુડ મેઘાસ્ટાર અમિતાભ બચ્ચને પહેલ કરી છે. તેમણે મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખ રૂપિયા સહાય પેટે આપ્યા છે. તેમણે આ રકમ પોતાના પ્રતિનિધિ વિજય નાથ મિશ્ર પાસે મોકલાવી છે. જે બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીને આપવામાં આવી છે.

નાયબ મુખ્યપ્રધાનને અપાયો સહાયતા માટેનો ચેક
બીગ બીએ લખેલો પત્ર
સહાયની રકમ

આ સાથે જ બીગ બીએ મુખ્યપ્રધાન નીતીશ કુમારને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે, ' બિહારમાં આવેલી કુદરતી આફતથી સ્તબ્ધ છું. આ આફતમાં ફસાયેલા લોકોની સ્થિતિથી દુઃખી છું, પીડિતોની સહાય માટે નાનકડી રકમ મુખ્યમંત્રી રાહત ફંડ માટે મોકલી રહ્યો છું.

આ બાદ બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીએ બિહારના નાગરિકો વતી અમિતાભ બચ્ચનનો આભાર વ્યક્ત કર્યો.

આ અગાઉ પણ બિગ બીએ 21 હજાર ખેડૂતોનુ દેવુ ચુકવ્યુ હતુ. ઉપરાંત પુલવામા હુમલામાં દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવાર અને તેમના પત્નીઓને નાણાંકીય સહાય પણ કરવાનો ઉલ્લેખ તેમણે પોતાના બ્લોગમાં કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details