અમિત શાહે ગુરુવારે પશ્ચિમ બંગાળના રાયગંજમાં રેલી યોજી હતી. તે સમયે બાંગ્લાદેશથી આવેલા લોકોને ઉંધઇ કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે તો આવા ગેરકાયદેસર પ્રવાસીઓને તેઓ દેશ બહાર કાઢી મુતશે. આ સાથે જ તેમણે આસામમાં NRC લાગુ કરવાની વાત પણ કરી.
અમિત શાહ દેશ માટે ખતરા સમાન છે: મહબૂબા મુફ્તી
શ્રીનગર: PDP અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ શુક્રવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આરોપ લગાવ્યો કે તે પોતાના વિવાદાસ્પદ નિવેદનો આપીને દેશના પાયાને હલાવી રહ્યા છે. મહબૂબાએ કહ્યું કે, અમિત શાહે પોતાના નિવેદનો બદલ દેશવાસીઓથી માફી માંગવી જોઇએ.
ફાઇલ ફોટો
આ બાબતે ગાંદરબલ જિલ્લામાં મહબૂબાએ જણાવ્યું હતું કે," આ બાબત ફક્ત હિંદુ, શીખ અને મુસ્લિમો માટે નથી, પરંતુ દરેક લોકો માટે છે. મારુ માનવું છે કે આવા નિવેદનોને કારણે તેઓ દેશના પાયા હલાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ દેશ માટે ખતરા સમાન છે. આવા નિવેદનાના કારણે દેશની ધર્મનિરપેક્ષતા પર હુમલો થાય છે. તેમણે માફી માંગવી જોઇએ"
મહબૂબાએ વધુમાં જણાવ્યુ કે, અમિત શાહ અને તેમની પાર્ટીના નેતા વોટ હાંસલ કરવા માટે જેવી ભાષાનો પ્રયોગ કરે છે તે અસભ્ય છે.