હૈદરાબાદઃ નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ 50 લાખ શેરી વિક્રેતાઓ (રાજ્ય સરકારો પાસેથી એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ ) ને લાભ થશે અને આ ક્ષેત્રમાં 5,000 કરોડ આપવામાં આવશે. નાણાં મંત્રાલયે વધુ માં જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટના ઉપયોગ અને સમયસર ચુકવણી ને નાણાકીય પુરસ્કારો રૂપી પ્રોત્સાહન મળશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તૈયાર કરેલા એક અહેવાલમાંજણાવ્યું છે કે દેશના ટોચના દસ રાજ્યોમાં 35 લાખ શેરી વિક્રેતાઓ છે, જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 7..8 લાખ વિક્રેતાઓ છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 5. લાખ વિક્રેતાઓ છે. બેન્કિંગ ચેનલદ્વારા, સરકાર, મુદ્રા યોજના હેઠળ શિશુ લોન ધારકોને, શેરી વિક્રેતાઓઅને ખેડુતો ને પણ મદદ કરી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કેશેરી વિક્રેતાઓ માટે સરળ રીતે ક્રેડિટ મળે તે તાકીદે આવશ્યક છે કારણ કે તેઓ પરતાળાબંધીની મહત્તમ અસર જોવા મળી છે .
ચિંતાઓ
બેંકોને આ ક્ષેત્રમાં અનેતે પણ આટલા મોટા પાયે લોન આપવાનો અનુભવ નથી અને તેમની પાસે આ ક્ષેત્ર માટે રચાયેલ યોજનાનથી. જો કે કેટલીક મુદ્રા લોન આવા ઉદ્યોગોને આપવામાં આવી છે.