નવી દિલ્હી: 'એક રાષ્ટ્ર-એક રાશન કાર્ડ' યોજના હેઠળ લાભાર્થી એક જ રાશનકાર્ડનો ઉપયોગ કરીને દેશના કોઈ પણ રાજ્યમાંથી NFSA હેઠળ પોતાના કોટાનું રાશન લઈ શકશે. 1 જૂનથી ખાદ્ય મંત્રાલય લાગુ કરશે.
કેન્દ્રીય ખાદ્યપ્રધાન રામવિલાસ પાસવાને શુક્રવારે કહ્યું હતું કે, બિહાર અને પંજાબ સહિત પાંચ વધુ રાજ્યો 'એક રાષ્ટ્ર - એક રાશનકાર્ડ' યોજનામાં જોડાયા છે. કુલ મળીને કુલ 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 60 કરોડ લાભાર્થીઓને રાશનકાર્ડ પોર્ટેબીલીટીનો લાભ મળી રહ્યો છે.