ગુજરાત

gujarat

By

Published : May 12, 2020, 10:45 AM IST

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશમાં 109 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 3573 પર પહોંચી

ઉત્તર પ્રદેશ આરોગ્ય વિભાગે કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓનો રાજ્યવ્યાપી ડેટા જાહેર કર્યો છે. આ માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં 11 મે ના રોજ સાંજના 6 વાગ્યા સુધી, 3573 વ્યક્તિઓમાં કોરોના વાઈરસની પુષ્ટિ થઈ છે. રાજ્યભરમાં, કોરોના વાઈરસને કારણે 80 લોકોના મોત થયા છે.ઉત્તર પ્રદેશ આરોગ્ય વિભાગે કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓનો રાજ્યવ્યાપી ડેટા જાહેર કર્યો છે. આ માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં 11 મે ના રોજ સાંજના 6 વાગ્યા સુધી, 3573 વ્યક્તિઓમાં કોરોના વાઈરસની પુષ્ટિ થઈ છે. રાજ્યભરમાં, કોરોના વાઈરસને કારણે 80 લોકોનાં મોત થયા છે.

ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ

લખનઉઃ ઉત્તર પ્રદેશ આરોગ્ય વિભાગે કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓનો રાજ્યવ્યાપી ડેટા જાહેર કર્યો છે. આ માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં 11 મે ના રોજ સાંજના 6 વાગ્યા સુધી, 3573 વ્યક્તિઓમાં કોરોના વાઈરસની પુષ્ટિ થઈ છે. રાજ્યભરમાં કોરોના વાઈરસને કારણે 80 લોકોના મોત થયા છે.

11 મે સુધીમાં કોરોના વાઈરસે ઉત્તર પ્રદેશના 74 જિલ્લાઓમાં પગ પેસારો કર્યો હતો. 109 નવા કેસ સાથે રાજ્યમાં 3573 લોકોને કોરોના વાઈરસનો ભોગ બન્યા છે. ઉત્તર પ્રદેશમાં 105 કોરોનાથી સંક્રમિત દર્દીઓને આરોગ્યપ્રદ રજા આપવામાં આવી છે અને 11 મેના રોજ રજા આપવામાં આવેલા લોકોની સંખ્યા 1758 પર પહોંચી છે. રાજ્યમાં 11 મે સુધી કોરોના વાઈરસના 1735 સક્રિય કેસ નોંધાયા છે.

રાજ્યમાં 11 મેના રોજ આગ્રામાં 14, ગાઝિયાબાદમાં 4, નોઇડામાં 6, લખીમપુર ઘેરીમાં 1, વારાણસીમાં 3, જૌનપુરમાં 3, બાગપતમાં 1, મેરઠમાં 13, બુલંદશહેરમાં 5, બસ્તીમાં 3, ગાઝીપુરમાં 1, હાથરસમાં 10 કેસ છે. રાયબરેલીમાં 1, ઔરૈયામાં 3, બારાબંકીમાં 5, સીતાપુરમાં 5, પ્રયાગરાજમાં 1, મથુરામાં 2, રામપુરમાં 3, સંભાલમાં 2, કન્નૌજમાં 2, સંત કબીર નગરમાં 1, મૈનપુરીમાં 1, ગોંડામાં 6, અલીગઢમાં 2, જાલૌનમાં 1 ઝાંસીમાં 1, કાનપુર દેહાત 1, આંબેડકર નગર 2, બલિયા 1, ફતેહપુર 1, સિદ્ધાર્થનગર 2, કાનપુર સહિત 109 કેસ નોંધાયા છે.

આજે 105 નવા દર્દીઓને રજા આપવામાં આવી છે. નવા આવનારાઓ સહિત, લખનઉમાં 202, કાનપુર શહેરમાં 94, વારાણસીમાં 45, મેરઠમાં 66, બુલંદશહેરમાં 51, હાપુરમાં 22, ફિરોઝાબાદમાં 22, રાયબરેલીમાં 89, મથુરામાં 9, સંત કબીર નગરમાં 15, અલીગઢમાં 22, બહરાઇચમાં 9, અયોધ્યામાં 1 દર્દી સામેલ છે.

નોંધનીય છે કે, 11 મે સુધી રાજ્યમાં 80 લોકોનાં મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોના આંકડા આગ્રામાં 24, લખનૌમાં 1, ગાઝિયાબાદમાં 2, નોઇડામાં 2, કાનપુર નગરમાં 6, મુરાદાબાદમાં 7, વારાણસીમાં 1, મેરઠમાં 13, બરેલીમાં 1, બુલંદશહેર 1, બસ્તી 1, ફિરોઝાબાદમાં 4, પ્રયાગરાજમાં 1, મથુરામાં 4 અમરોહમાં 1, મૈનપુરીમાં 1, એટામાં 1, અલીગઢમાં 3, શ્રાવસ્તિમાં 1, ઝાંસીમાં 2, કાનપુર દેહતમાં 1 અને લલિતપુરમાં 1 સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details