ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીરના શોપિયાંમાં IED બ્લાસ્ટ, ત્રણ જવાનો ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી હિંદુઓ, ખાસ કરીને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાશ્મીર ઘાટીમાં મંગળવારે એક હિન્દુ શિક્ષકની હત્યા (Assassination Hindu Teacher In Kashmir Valley) કરવામાં આવી હતી. રજની બાલા નામની આ શિક્ષિકા 27 વર્ષ પછી કાશ્મીર પરત આવી છે.

By

Published : Jun 2, 2022, 10:17 AM IST

કાશ્મીરના શોપિયાંમાં IED બ્લાસ્ટ, ત્રણ જવાનો ઈજાગ્રસ્ત
કાશ્મીરના શોપિયાંમાં IED બ્લાસ્ટ, ત્રણ જવાનો ઈજાગ્રસ્ત

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ભારતીય સેનાના 3 જવાન ઈજાગ્રસ્ત થયા છે. જણાવવામાં આવ્યું છે કે, એક ખાનગી વાહનમાં અચાનક વિસ્ફોટ (IED Blast In Shopian In Kashmir) થયો હતો, જેમાં જવાન ઈજાગ્રસ્ત થયા હતા. આ વાહનમાં IED રાખવામાં આવ્યો હતો. હાલ 3 જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાશ્મીરના IGP વિજય સિંહે આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના અખનુરમાં IED બ્લાસ્ટ, 1 જવાન શહીદ, 2 ઘાયલ

કાશ્મીર ઘાટીમાં હિન્દુ શિક્ષકની હત્યા કરાઈ : છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં હિંદુઓ, ખાસ કરીને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાશ્મીર ઘાટીમાં મંગળવારે એક હિન્દુ શિક્ષકની હત્યા કરવામાં આવી હતી. રજની બાલા નામની આ શિક્ષિકા 27 વર્ષ પછી કાશ્મીર પરત આવી છે. મળતી માહિતી મુજબ આ વાહનમાં ભારતીય સેનાના લગભગ 15 સૈનિકો સવાર હતા.

આ પણ વાંચો:જમ્મુ કાશ્મીર: પુલવામામાં IED બ્લાસ્ટ, 9 જવાન ઘાયલ

ABOUT THE AUTHOR

...view details