- 30 એપ્રિલ સુધી ચાલશે કુંભ મેળો
- સ્થાનિક અધિકારીઓએ કરી જાહેરાત
- મુખ્યપ્રધાને પણ આપ્યું સમર્થન
દહેરાદૂન: ઉત્તરાખંડમાં કોરોનાની સ્થિતિ બેહાલ છે સાથે જ કોરોનાથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. એવામાં હરિદ્વારમાં મહાકુંભમાં છેલ્લા 5 દિવસમાં કોરોનાના 2,167 કેસ સામે આવ્યા છે. ઉત્તરાખંડ સ્ટેટ કંટ્રોલ રૂમમાં 10 એપ્રિલે 254 કેસ, 12મીએ 408 કેસ, 13મીએ 594 કેસ અને 14મીએ 525 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. નવા આંકડા સાથે રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 10,000ને પાર કરી ગઇ છે તો આ તરફ ગુરુવારે 483 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 99,380ને પાર કરી ગયો છે, જ્યારે કુલ સંક્રમિતોનો આંક 1,14,024 છે. આ સ્થિતિમાં અધિકારીઓએ 30 એપ્રિલ સુધી કુંભના આયોજનની જાહેરાત કરી છે.
વધુ વાંચો:કેજરીવાલે લગાવ્યો વિકેન્ડ કરફ્યૂ, જરૂરી કામ માટે જાહેર થશે ઇ-પાસ