પંચમહાલ :ગોધરા વિધાનસભા બેઠકનાં ઉમેદવાર સી.કે. રાઉલજીના પ્રચાર માટે યોગી આદિત્યનાથએ ગોધરા ખાતે રોડ શો કાર્યક્રમ યોજાયો હતો. સરદારનગર ખંડથી ચર્ચ સર્કલ, પાંજરાપોળ કલાલ દરવાજા (Yogi Adityanath Road show in Godhra) થઈને લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ મેદાન સુધી રોડ શો યોજાયો હતો, ત્યારબાદ લાલબાગ ટેકરીના ગ્રાઉન્ડ (Yogi Adityanath sabha in Godhra) ખાતે જાહેર સભા સંબોધી હતી. યોગી આદિત્યનાથે સભામાં 2002ના 2002ના સાબરમતી એક્સપ્રેસ હત્યાકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો બીજી તરફ ગોધરાને બલિદાન આપનારની ધરતી કહી હતી.
ગોધરાના બલિદાન બાદ દેશમાં પરિવર્તનયોગી આદિત્યનાથના રોડ શોમાં જય શ્રી રામના ગગન સૂત્રોચાર લાગ્યા હતા. યોગીએ સભામાં (yogi adityanath speaks) કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર માટે ગોધરામાં રામભક્તોએ બલિદાન આપવાની વાત કરી હતી. રામ મંદિર લોકોની તેમજ ગોધરાના રામભક્તોની આસ્થાનું સન્માન કરે છે. યોગીએ પોતાના પ્રવચનમાં વધુમાં કહ્યું હતું કે, ગોધરાના બલિદાન બાદ દેશમાં પરિવર્તન આવ્યું હતું. ભાજપ રેકોર્ડ માર્જિનથી જીતે તે સુનિશ્ચિત કરે.