નવી દિલ્હી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના અધ્યક્ષ મનોજ સોનીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હોવા છતાં, તેમને હજુ પણ આયોગની ડિરેક્ટરીમાં UPSCના વર્તમાન અધ્યક્ષ ગણવામાં આવી રહ્યાં છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું, કે, 'હા, તેમણે રાજીનામું આપી દીધું છે, પરંતુ સરકારે તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી. તેથી, મનોજ સોનીને હજુ પણ સત્તાવાર રીતે યુપીએસસીના અધ્યક્ષ જ ગણવામાં આવે છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ બંધારણની કલમ 315 હેઠળ સ્થાપિત બંધારણીય સંસ્થા છે. કમિશનમાં એક અધ્યક્ષ અને 10 સભ્યો હોય છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું સરકાર તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે સોનીનો સંપર્ક કરશે, ત્યારે અધિકારીએ આવી કોઈ શક્યતાને નકારી કાઢી હતી.
પૂજા ખેડકર સાથે જોડાયેલા વિવાદ વચ્ચે સોનીના રાજીનામા સાથે જોડાયેલી બાબતો મહત્વની બની ગઈ છે. જોકે, અધિકારીએ સોનીના રાજીનામાનો ખેડકર કેસ સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો. શુક્રવારે, યુપીએસસીએ કહ્યું કે તેણે સિવિલ સર્વિસ પરીક્ષામાં છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવા માટે ખોટી ઓળખના આરોપમાં ખેડકર સામે ફોજદારી કેસ નોંધ્યો છે.
જાણીતા શિક્ષણવિદ સોનીએ 28 જૂન, 2017ના રોજ કમિશનના સભ્ય તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે 5 એપ્રિલ, 2022 ના રોજ UPSC અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો અને તેમની સત્તાવાર નિવૃત્તિ તારીખ 15 મે, 2029 હતી. તેમણે અંગત કારણોસર એક મહિના પહેલા રાજીનામું આપ્યું હોવાના અહેવાલ છે. સોનીએ 'સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ' માટે વધુ સમય ફાળવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક: