ગુજરાત

gujarat

લાતેહારમાં મોટી કરૂણાતીકા, બાબાધામથી પરત ફરી રહેલા 5 કાંવડિયાના દર્દનાક મોત - road accident in Latehar

By ETV Bharat Gujarati Team

Published : Aug 1, 2024, 9:30 AM IST

લાતેહારમાં એક કરૂણ માર્ગ દૂર્ઘટના સામે આવી છે, જેમાં પાંચ કાંવડિયાઓના મોત થયા છે. આ દૂર્ઘટના બાલુમાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાય છે. દૂર્ઘટનામાં ઘાયલોને સારવાર માટે બાલુમાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 5 killed in road accident in Latehar

લાતેહારમાં કરૂણાતીકા
લાતેહારમાં કરૂણાતીકા (Etv Bharat)

લાતેહાર: જિલ્લાના બાલુમાથ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ટમટમ ટોલા પાસે ગુરુવારે સવારે 3 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં દેવઘરથી પરત ફરી રહેલા કાંવડિયાઓની કાર બેકાબુ થઈ ગઈ હતી અને ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં પાંચ કાંવડિયાઓના મોત થયા છે. જ્યારે અનેક કાંવડિયાઓ ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે બાલુમાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકોમાં રંગીલી કુમારી, અંજલિ કુમારી, સવિતા દેવી, શાંતિ દેવી અને ડ્રાઈવર દિલીપ ઉરાંનો સમાવેશ થાય છે. જ્યારે હનેશ યાદવ, ચરકુ યાદવ, હરિનંદન યાદવ, પરમેશ્વર યાદવ, રીના કુમારી ઘાયલ થયા હતા. તેમાંથી હનેશ યાદવ અને ચરકુ યાદવની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને રિમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકો બાલુમાથ પોલીસ સ્ટેશન વિસ્તારના મકઈયાતાંડ અને હેમપુર ચિતરપુરના રહેવાસી છે.

વાસ્તવમાં, બાલુમાથ પોલીસ સ્ટેશન વિસ્તારના મકઈયાતંડ અને આસપાસના ગામોના લોકોએ પેસેન્જર વાહન ભાડે કર્યું હતું અને દેવઘર બાબા ધામ ગયા હતા. પૂજા અર્ચના કર્યા બાદ બધા પોતપોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન, બાલુમાથ પોલીસ સ્ટેશન વિસ્તારના ટમટમ ટોલા પાસે, ગુરુવારે લગભગ 3 વાગ્યે, પેસેન્જર વાહન અચાનક 11000 વોલ્ટના ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું હતું અને આ દુર્ઘટના સર્જાય હતી.

આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ઇલેક્ટ્રિક પોલ તૂટી ગયો અને પેસેન્જર વાહન 11000 વોલ્ટના વાયર સાથે સંપર્કમાં આવ્યું અને વાહનમાં સવાર ચાર મહિલાઓ અને વાહનના ડ્રાઈવરનું હાઈ વોલ્ટેજ વાયરના સંપર્કમાં આવતા વીજ કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ઘટના બાદ લોકોની ચીસો સાંભળીને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી.

પોલીસે તત્પરતા દાખવી: પોલીસને ઘટનાની માહિતી મળતા જ ડીએસપી આશુતોષ સત્યમની સૂચના પર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત કાર્ય હાથ ધર્યું હતું અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તમામ ઇજાગ્રસ્તોની સારવાર કરી હતી. આ પૈકીના બે લોકોની હાલતની ગંભીરતાને ધ્યાને લઈને તેમને સારી સારવાર માટે રિમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા.

આ અંગે ડીએસપી આશુતોષ સત્યમે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમે તત્પરતા દાખવી અને એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. તેમણે કહ્યું કે મૃતકોની ઓળખ બાદ તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાતેહાર સદર હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

ઘરે પહોંચતા 8 કિલોમીટર પહેલા આ ઘટના બની: કહેવાય છે કે ઘટના સ્થળથી મકઈયાતાંડનું અંતર લગભગ 8 કિલોમીટર છે. એટલે કે, દેવઘરથી લગભગ 300 કિલોમીટરની મુસાફરી કર્યા પછી, કાંવડિયાઓની કાર ઘરે પહોંચતા માત્ર 8 કિલોમીટર પહેલાં જ આ કરૂણ અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ કંવરીયાઓએ જીવ ગુમાવ્યો હતો. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સવારે લગભગ 3 વાગ્યે બની હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આખી રાત વાહન ચલાવવાને કારણે ડ્રાઈવર ઉંઘી ગયો હશે, જેના કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે.

  1. દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, માતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત, રોંગ સાઈડથી આવી રહી હતી કાર - Delhi Meerut Expressway Accident

ABOUT THE AUTHOR

...view details