નવી દિલ્હીઃપ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષનું વયે નિધન થયું છે. હૃદયની તકલીફ બાદ તેમને સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સીઆર પાટીલે ઝાકિર હુસૈનના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. કેન્દ્રીય મંત્રી પાટીલે એક્સ પર એક પોસ્ટમાં તેમને શ્રદ્ધાજંલિ પાઠવતા લખ્યુ કે 'પ્રસિદ્ધ તબલાવાદક અને ભારતીય સંગીતના અદ્વિતિય સાધક પદ્મ વિભૂષણ ઉસ્તાદ જાકિર હુલૈનના નિધનના સમાચારથી અત્યંત દુ:ખ થયું છે.
તેમનું સંગીત ભારતીય સંસ્કૃતિની આત્મા સાથે સંવાદ કરતો હતો અને વિશ્વભરમાં ભારતની ઓળખને સ્વર આપતો હતો. તબાલાની દરેક થાપમાં તેમની સાધના અને અજોડ કળાની ઉંડાણ હતું'.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો: તબલાના જાદુગર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન સંગીત જગત માટે મોટી ખોટ છે. તેઓ તેમની અસાધારણ સર્જનાત્મકતા અને સંશોધનાત્મકતા માટે જાણીતા હતા. તેણે વિશ્વભરના સંગીત પ્રેમીઓની પેઢીઓને મોહિત કરી છે. તેઓ ભારત અને પશ્ચિમની સંગીત પરંપરાઓ વચ્ચેનો સેતુ હતા. મને તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાનું સૌભાગ્ય મળ્યું. હું તેમના પરિવારના સભ્યો અને તેમના અસંખ્ય ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો: મહાન તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન જીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં ક્રાંતિ કરનાર સાચા પ્રતિભા તરીકે તેમને યાદ કરવામાં આવશે. તેમણે તબલાને વૈશ્વિક મંચ પર પણ લાવ્યા અને લાખો લોકોને પોતાની અજોડ લયથી મંત્રમુગ્ધ કર્યા. આ દ્વારા, તેમણે વૈશ્વિક સંગીત સાથે ભારતીય શાસ્ત્રીય પરંપરાઓને એકીકૃત રીતે મિશ્રિત કરી, આમ તેઓ સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બન્યા.