ગુજરાત

gujarat

વાયનાડ ભૂસ્ખલન દૂર્ઘટના, 308 લોકોના મોત, પોલીસે કહ્યું 300 જેટલાં હજી પણ ગુમ - wayanad landslide mishap

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 1:17 PM IST

Updated : Aug 3, 2024, 8:45 AM IST

કેરળના વાયનાડમાં વિનાશકારી ભૂસ્ખલનમાં 308 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે લગભગ 300 લોકો હજુ પણ ગુમ છે. ખરાબ હવામાન હોવા છતાં, 40 બચાવ ટુકડીઓએ આજે ​​ચોથા દિવસે ફરીથી કામગીરી શરૂ કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો... kerala wayanad landslide updates

વાયનાડમાં વિનાશક ભૂસ્ખલન બાદ તારાજી
વાયનાડમાં વિનાશક ભૂસ્ખલન બાદ તારાજી (ANI)

વાયનાડ ભૂસ્ખલન દૂર્ઘટના બાદ હજી પણ ચાલતું રાહત બચાવ કાર્ય (ANI)

વાયનાડઃ કેરળના વાયનાડમાં વિનાશક ભૂસ્ખલન બાદ પણ સ્થિતિમાં સુધારો થઈ રહ્યો નથી. સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની રહી છે. રાજ્યના મદદનીશ પોલીસ મહાનિર્દેશક (ADGP) અજીત કુમારે શુક્રવારે જણાવ્યું હતું કે લગભગ 300 લોકો હજુ પણ ગુમ છે, જ્યારે મૃત્યુઆંક 308ને વટાવી ગયો છે. પડકારજનક હવામાન પરિસ્થિતિઓ અને મુશ્કેલ પ્રદેશ હોવા છતાં, બચાવ કામગીરી ચાલી રહી છે. દુર્ઘટનાના ચોથા દિવસે, બચાવ કર્મચારીઓની 40 ટીમોએ તેમનું કામ ફરી શરૂ કર્યું છે.

મળતી માહિતી અનુસાર, ભારતીય સેનાને 4 વ્યક્તિઓ જીવતા મળી આવ્યા છે. જેમાં બે પુરૂષ અને બે મહિલાઓ છે. આ લોકો પડવેટ્ટી કુન્નુમાં ફસાયેલા હતા. સેનાએ કહ્યું કે ઓપરેશન ચોકસાઈ અને સાવધાની સાથે હાથ ધરવામાં આવ્યું હતું. ઘાયલોને બહાર કાઢવા માટે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) શરૂ કરવામાં આવ્યું હતું. આપને દઈએ કે, બચાવી લેવામાં આવેલી મહિલામાંથી એક પગની સમસ્યાથી પીડિત છે, જેને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

કાટમાળમાં દબાયેલા લોકોને શોધવા માટે ખાસ સ્નીફર ડોગની લેવાઈ મદદ (ANI)

આ વિશે વધુ માહિતી આપતાં એડીજીપી અજીત કુમારે જણાવ્યું કે, મહેસૂલ વિભાગ ડેટા કલેક્શન પૂર્ણ કર્યા બાદ ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા સ્પષ્ટ થશે. 'હાલની માહિતીના આધારે, લગભગ 300 લોકો હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે કાટમાળ હટાવવાની સાથે લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. આ દુર્ઘટનામાં હજુ કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે અને કેટલા લોકો ગુમ છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.

ADGPએ વધુમાં જણાવ્યું હતું કે 190 ફૂટ લાંબા બેઈલી બ્રિજની તાજેતરની સમાપ્તિએ સતત વરસાદ અને અન્ય ઘણા પડકારો છતાં શોધ અને બચાવ કામગીરીને વેગ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તાર અટ્ટમાલા અને અરનમાલા, મુંડક્કાઈ, પંચીરીમટ્ટમ, વેલ્લારીમાલા ગામ, જીબીએચએસએસ વેલ્લારીમાલા અને નદી કિનારા સહિત છ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ રેસ્ક્યુ ઓપરેશનમાં સેના, એનડીઆરએફ, ડીએસજી, કોસ્ટ ગાર્ડ, નેવી અને એમઈજીના જવાનોની સાથે સ્થાનિક અને વન વિભાગના જવાનોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

  1. જાણો કેમ વાદળ ફાટે છે ? વાદળ ફાટવાની ભવિષ્યવાણી કરવી કેમ મુશ્કેલ છે ? - what is cloudburst
  2. વાયનાડમાં રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ, ભૂસ્ખલન દૂર્ટનામાં મૃતકોનો આંક 292 પર પહોંચ્યો - Wayanad Landslides Updates
Last Updated : Aug 3, 2024, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details