ગુજરાત

gujarat

Money Laundering Case : દિલ્હીમાં રાજ્યસભા સાંસદ સહિત AAP નેતાઓના ઘર પર ED દરોડા

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2024, 12:33 PM IST

રાજધાની દિલ્હીમાં મંગળવારે સવારથી EDની મોટી કાર્યવાહી જોવા મળી હતી. મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના અંગત સચિવ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ ED ના નિશાન પર છે.

દિલ્હીમાં ED ની કાર્યવાહી
દિલ્હીમાં ED ની કાર્યવાહી

નવી દિલ્હી : દિલ્હીના દારૂ કૌભાંડમાં ED એ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને અનેક સમન્સ આપી પૂછપરછ માટે બોલાવ્યા છે. પરંતુ હજુ સુધી સીએમ કેજરીવાલે આ પૂછપરછમાં ભાગ લીધો નથી. મંગળવારે ED એ મની લોન્ડરિંગ કેસના સંદર્ભે દિલ્હી-NCR માં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના સાંસદ અને મુખ્યપ્રધાનના સચિવનું ઘર પણ સામેલ છે.

દિલ્હીમાં ED ની કાર્યવાહી : આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ આજની ED ની કાર્યવાહી વિશે કહ્યું કે, આ માત્ર ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ એક દિવસ પહેલા કહ્યું હતું કે, મંગળવારે સવારે 10 વાગ્યે તે ED સામે મોટો ખુલાસો કરશે. તેમને મળતી માહિતી અનુસાર ED ના અધિકારીઓ જાણવા માંગતા હતા કે આ પ્રેસ કોન્ફરન્સ કયા મુદ્દા પર કરવામાં આવશે, પરંતુ તેઓને માહિતી મળી ન હતી. તો આજે આ મુદ્દાને વાળવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા છે.

એનડી ગુપ્તાના નિવાસસ્થાને તપાસ : આપ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED ની ટીમ સવારે આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા રાજ્યસભાના સભ્ય એનડી ગુપ્તાના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી હતી. ઉપરાંત મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ વિભવ કુમારના ઘરે પણ ED ટીમ દરોડા પાડી રહી છે. દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય શલભ કુમારના નિવાસસ્થાને પણ ED ટીમે દરોડા પાડ્યા હતા. મંગળવારે સવારે શરૂ થયેલ કાર્યવાહી હજુ પણ ચાલુ છે.

AAP નેતાઓ ટાર્ગેટ :પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી-NCR માં લગભગ 12 સ્થળોએ એક સાથે ED ની કાર્યવાહી શરૂ થઈ છે. આમાં ED દારૂ કૌભાંડથી લઈને દિલ્હી જલ બોર્ડ કૌભાંડ સુધીના મામલાની તપાસ કરી રહી છે. સતત બીજી વખત આમ આદમી પાર્ટીમાંથી રાજ્યસભાના સભ્ય બનેલા એનડી ગુપ્તાના નવી દિલ્હીમાં સ્થિત સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય પર ED ના દરોડા પડ્યા છે.

મની લોન્ડરિંગ કેસ : સાંસદ એનડી ગુપ્તા શરૂઆતથી જ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને પેર્ટિન્કેના કોષાધ્યક્ષ છે. આમ આદમી પાર્ટીના ફંડ વગેરેનું કામ તેમની દેખરેખ હેઠળ જ થાય છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારની પણ ED દ્વારા દારૂ કૌભાંડમાં પૂછપરછ કરવામાં આવી છે. અગાઉ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં EDએ બિભવને પૂછપરછ માટે નોટિસ આપી હતી અને પછી તેમને ઓફિસમાં પણ બોલાવ્યા હતા.

દિલ્હી જળ બોર્ડ કૌભાંડ : દિલ્હી જળ બોર્ડ કૌભાંડમાં વિજિલન્સ વિભાગથી લઈને CBI સુધી કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં બિલની ચુકવણીથી લઈને ઓફિસોમાં ઓટોમેટિક વેન્ડિંગ મશીન લગાવવા અને વોટર મીટરની ખરીદી અને વેચાણ સુધીના કેસ નોંધાયા છે. આ તમામ કેસની તપાસ ચાલી રહી છે. હવે આ મામલામાં ED દિલ્હી જલ બોર્ડના સભ્ય શલભ કુમારના ઘરે પણ દરોડા માટે પહોંચી છે.

  1. Sanjay Singh Bail Plea : દિલ્હી હાઈકોર્ટે સંજયસિંહની જામીન અરજી મામલે ED ને નોટિસ પાઠવી
  2. Money Laundering Case: EDએ પંચકુલા સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના સસ્પેન્ડેડ જજ સુધીર પરમારની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details