ગુજરાત

gujarat

રાહુલ ગાંધીની નાગરિક્તા રદ્દ કરવાની માગ કરતી અરજી હાઈકોર્ટમાં બીજી બેંચને ટ્રાન્સફર - Rahul Gandhi citizenship

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 3:02 PM IST

દિલ્હી હાઈકોર્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની નાગરિકતા રદ્દ કરવાની માંગ કરતા કેસને અન્ય બેંચમાં ટ્રાન્સફર કરી દીધો છે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ અરજી દાખલ કરી છે. જેમાં તેમણે રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ પર ગૃહ મંત્રાલયને નિર્ણય લેવા માટે હાઈકોર્ટ પાસે આદેશની માંગ કરી છે. - Rahul Gandhi's Citizenship Row

રાહુલ ગાંધીની નાગરિક્તાનો મામલો
રાહુલ ગાંધીની નાગરિક્તાનો મામલો (Etv Bharat)

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માગણી કરતી બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજીને અન્ય બેંચમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ સંજીવ નરુલાની ખંડપીઠે કહ્યું કે અરજદારો એ સમજાવવામાં નિષ્ફળ ગયા કે શું તેમને આમાં કોઈ બંધારણીય અધિકાર છે? અરજદારનું કહેવું છે કે આમાં જનહિતનો મુદ્દો સામેલ છે. આ અરજીની સુનાવણી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતી બેંચ દ્વારા કરવામાં આવશે. જે બાદ કોર્ટે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી અન્ય બેંચને અરજી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.

સુનાવણીમાં શું દલીલો કરી?આજે સુનાવણી દરમિયાન, સુબ્રમણ્યમ સ્વામીએ પોતે પોતાની દલીલો રજૂ કરતા કહ્યું કે, તેમણે 2019માં ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો કે બેકઓપ્સ લિમિટેડ 2003માં બ્રિટનમાં રજીસ્ટર થઈ હતી. અને રાહુલ ગાંધી તે કંપનીના ડિરેક્ટરોમાંના એક હતા. કંપની દ્વારા 10 ઓક્ટોબર 2005 અને 31 ઓક્ટોબર 2006ના રોજ ફાઈલ કરવામાં આવેલા વાર્ષિક ઈન્કમ ટેક્સ રિટર્નમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીની નાગરિકતા બ્રિટનની છે.

નાગરિક્તા બ્રિટનની? અરજીમાં કહેવામાં આવ્યું છે કે કંપની દ્વારા 17 ફેબ્રુઆરી 2009ના રોજ પોતાને વિસર્જન કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીમાં રાહુલ ગાંધીની નાગરિકતા બ્રિટનની હોવાનું જણાવવામાં આવ્યું છે. આમ કરવું એ બંધારણની કલમ 9 અને ભારતીય નાગરિકતા અધિનિયમનું ઉલ્લંઘન છે. કલમ 9 જણાવે છે કે જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા લે છે, તો તે ભારતનો નાગરિક રહી શકતો નથી.

29 એપ્રિલ, 2019ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને પત્ર લખીને બે અઠવાડિયામાં આ અંગે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. પરંતુ પાંચ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં કોઈ સ્પષ્ટતા નથી. આવી સ્થિતિમાં, કોર્ટે આ અંગે નિર્ણય લેવા માટે ગૃહ મંત્રાલયને માર્ગદર્શિકા જારી કરવી જોઈએ.

  1. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી - BIRTH ANNIVERSARY OF RAJIV GANDHI
  2. તેજસ્વી-લાલુ સાથે જોડાયેલા 'નોકરી માટે જમીન' આપવાના મામલામાં આજે રાઉઝ એવેન્યુ કોર્ટમાં સુનાવણી - Land For Job case

ABOUT THE AUTHOR

...view details