વલસાડઃ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે શુક્રવારે ખેરલાવ ગામે યુવાનો દ્વારા વીજ કંપનીના પાવર સ્ટેશન નજીક 50થી વધુ છોડના વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ સહિત ધરમપુર ખાતે આવેલા લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના નિલમભાઈ પસ્થિત રહ્યાં હતા.
પારડી તાલુકાના ખેરલાવ ગામે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે આજે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વીજ કંપનીના પાવર સ્ટેશન પાસે 50થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનો દ્વારા પર્યાવરણના જતન માટે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવાનું ઠેરવવામાં આવ્યું હોય ત્યારે વલસાડ જિલ્લામાં પણ આજે ખેરલાવ ગામે વૃક્ષરોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.