ETV Bharat / state

હળવદમાં પત્નીના દિયર સાથેના આડા સંબંધ બન્યું મોતનું કારણ

author img

By

Published : Dec 10, 2019, 2:49 PM IST

મોરબીઃ જિલ્લાના હળવદના માથક નજીક વાડીમાં એરંડા વચ્ચે જમીનમાં મૃતદેહ દાટેલી હાલતમાં મળી આવતા પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ ચલાવી હતી. શરૂઆતથી પરીવાર પર શંકા હોવાથી મૃતકની પત્ની અને તેના ભાઈને ઝડપી લઈને આકરી પૂછપરછ કરતા હત્યાની કબૂલાત આપી છે. તેમજ ભાભી અને દિયર વચ્ચે આડાસંબંધોને કારણે યુવાનની હત્યા કરવામાં આવી હોવાની કબૂલાત આપી છે.

હળવદમાં પત્નીના દિયર સાથેના આડા સબંધ બન્યું મોતનું કારણ
હળવદમાં પત્નીના દિયર સાથેના આડા સબંધ બન્યું મોતનું કારણ

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માથક નજીક એરંડા વચ્ચે જમીનમાં દાટેલી હાલતમાં મળેલા મૃતદેહને પગલે હળવદ પોલીસ દોડતી થઇ હતી અને પીએમ કરાવી મૃતક ભુરાભાઈ ઉર્ફે ગુજરિયાભાઈ હુનીયાભાઈ આદિવાસી હોવાનું ખૂલ્યું હતું. તે સુંદરી ભવાની પાસેની વાડીમાં પત્ની અને ભાઈ સાથે રહીને મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જે યુવાનની હત્યા કર્યા બાદ મૃતદેહ જમીનમાં દાટી દેવાયો હોય અને હત્યાના બનાવ અંગે પોલીસ ટીમે તપાસ ચલાવી હતી.

હળવદમાં પત્નીના દિયર સાથેના આડા સબંધ બન્યું મોતનું કારણ

હળવદના માથક ગામના રહેવાસી ભરતભાઈ ખેંગાર રાજપૂતની વાડીએથી આરોપી રોહન હુનીયાભાઈ નાયક અને દક્ષાબેન ગુજારીયા નાયક વાળાની અટકાયત કરી આકરી પૂછપરછ કરતા યુવાનની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દીધાની કબૂલાત કરી છે.

મૃતક યુવાનની પત્નીને મૃતકના નાના ભાઈ એટલે કે, દિયર સાથે આડા સબંધ હોય અને મૃતક તેને ખીલીની જેમ ખટકતો હોવાથી રાત્રીના સમયે સુતો હતો ત્યારે ખાટલાની દોરીથી ગળેફાસો દઈને હત્યા કરી હતી. બાદમાં એરંડાના પાકમાં ખાડો કરી દાટી દીધાની કબૂલાત આપી હતી. આડા સબંધોએ ફરીથી દિયર ભાભીના પવિત્ર સબંધોને શર્મશાર કર્યા છે, તો ભાઈ અને પત્નીએ મળીને યુવાનને મોતને ઘાટ ઉતારી દીધાનો ખુલાસો થવા પામ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માથક નજીક એરંડા વચ્ચે જમીનમાં દાટેલી હાલતમાં મળેલા મૃતદેહને પગલે હળવદ પોલીસ દોડતી થઇ હતી અને પીએમ કરાવી મૃતક ભુરાભાઈ ઉર્ફે ગુજરિયાભાઈ હુનીયાભાઈ આદિવાસી હોવાનું ખૂલ્યું હતું. તે સુંદરી ભવાની પાસેની વાડીમાં પત્ની અને ભાઈ સાથે રહીને મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જે યુવાનની હત્યા કર્યા બાદ મૃતદેહ જમીનમાં દાટી દેવાયો હોય અને હત્યાના બનાવ અંગે પોલીસ ટીમે તપાસ ચલાવી હતી.

હળવદમાં પત્નીના દિયર સાથેના આડા સબંધ બન્યું મોતનું કારણ

હળવદના માથક ગામના રહેવાસી ભરતભાઈ ખેંગાર રાજપૂતની વાડીએથી આરોપી રોહન હુનીયાભાઈ નાયક અને દક્ષાબેન ગુજારીયા નાયક વાળાની અટકાયત કરી આકરી પૂછપરછ કરતા યુવાનની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દીધાની કબૂલાત કરી છે.

મૃતક યુવાનની પત્નીને મૃતકના નાના ભાઈ એટલે કે, દિયર સાથે આડા સબંધ હોય અને મૃતક તેને ખીલીની જેમ ખટકતો હોવાથી રાત્રીના સમયે સુતો હતો ત્યારે ખાટલાની દોરીથી ગળેફાસો દઈને હત્યા કરી હતી. બાદમાં એરંડાના પાકમાં ખાડો કરી દાટી દીધાની કબૂલાત આપી હતી. આડા સબંધોએ ફરીથી દિયર ભાભીના પવિત્ર સબંધોને શર્મશાર કર્યા છે, તો ભાઈ અને પત્નીએ મળીને યુવાનને મોતને ઘાટ ઉતારી દીધાનો ખુલાસો થવા પામ્યો છે.

Intro:gj_mrb_02_mathak_murder_visual_avb_gj10004
gj_mrb_02_mathak_murder_bite_avb_gj10004
gj_mrb_02_mathak_murder_script_avb_gj10004

gj_mrb_02_mathak_murder_avb_gj10004
Body:         હળવદના માથક નજીક વાડીમાં એરંડા વચ્ચે જમીનમાં મૃતદેહ દાટેલી હાલતમાં મળી આવતા પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ ચલાવી હતી અને શરૂઆતથી પરીવાર પર શંકાની સોય હોય, મૃતકની પત્ની અને તેના ભાઈને ઝડપી લઈને આકરી પૂછપરછ કરતા હત્યાની કબુલાત આપી છે તેમજ ભાભી અને દિયર વચ્ચે આડાસંબંધોને કારણે યુવાનની હત્યા કરવામાં આવી હોવાની નફફટ કબુલાત આપી છે
         બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માથક નજીક એરંડા વચ્ચે જમીનમાં દાટેલી હાલતમાં મળેલા મૃતદેહને પગલે હળવદ પોલીસ દોડી ગઈ હતી અને પીએમ કરાવી મૃતક ભુરાભાઈ ઉર્ફે ગુજરિયાભાઈ હુનીયાભાઈ આદિવાસી (ઉ.વ.૪૦) હોવાનું ખુલ્યું હતું અને તે સુંદરીભવાની પાસેની વાડીમાં પત્ની અને ભાઈ સાથે રહીને મજુરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું જે યુવાનની હત્યા કર્યા બાદ મૃતદેહ જમીનમાં દાટી દેવાયો હોય અને હત્યાના બનાવ અંગે પોલીસ ટીમેં તપાસ ચલાવી હતી જેમાં હળવદના માથક ગામના રહેવાસી ભરતભાઈ ખેંગારભાઈ રાજપૂતની વાડીએથી આરોપી રોહન હુનીયાભાઈ નાયક (ઉ.વ.૨૨) અને દક્ષાબેન ગુજારીયાભાઈ નાયક (ઉ.વ.૨૫) વાળાનીં અટકાયત કરી આકરી પૂછપરછ કરતા બંનેએ યુવાનની હત્યા કરી બાદમાં મૃતદેહ જમીનમાં દાટી દીધાની કબુલાત આપી હતી. મૃતક યુવાનની પત્નીને મૃતકના નાના ભાઈ એટલે કે દિયર સાથે આડા સંબંધ હોય અને મૃતક તેને ખીલીની જેમ ખટકતા હોય જેથી રાત્રીના સુતા હોય ત્યારે ખાટલાની દોરીથી ગળેફાંસો દઈને હત્યા કરી બાદમાં એરંડા પાકમાં ખાડો કરી દાટી દીધાની નફફટ કબુલાત આપી હતી અને આડા સંબંધોએ ફરીથી દિયર ભાભીના પવિત્ર સંબંધો ને શર્મશાર કર્યા છે તો ભાઈ અને પત્નીએ મળીને યુવાનને મોતને ઘાટ ઉતારી દીધાનો ખુલાસો થવા પામ્યો છે


બાઈટ : ડો.કરનરાજ વાઘેલા, એસ.પી. મોરબી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.