- કોડીનારમાં સ્વૈચ્છિક લૉકડાઉનની થઈ પૂર્ણાહુતિ
- કોડીનારમાં કોરોનાના કેસ ઘટતા સ્વૈચ્છિક લૉકડાઉન પૂર્ણ કરાયું
- ચેમ્બર ઓફ કોમર્સ, નગરપાલિકાએ કોરોનાને કાબૂમાં લાવવા બજાર બંધ કર્યા હતા
ગીર સોમનાથઃ કોડીનારમાં કોરોનાના કેસ વધતા વૈપારીઓએ સ્વૈચ્છિક લૉકડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે કોરોનાના કેસ ઘટતા વૈપારીઓએ સ્વૈચ્છિક લૉકડાઉન પરત લેવાનો નિર્ણય કર્યો હતો. કોડીનારમાં છેલ્લા બે મહિનાથી ચેમ્બર્સ ઓફ કોમર્સ, નગરપાલિકા અને સહકારી સંસ્થાઓ દ્વારા કોડીનારમાં સતત વકરતા જતા કોરોના સંક્રમણને અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- ગિરિમથક સાપુતારા 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ થયું અનલોક, સ્થાનિકોમાં વધ્યો કોરોનાનો ભય
સ્વૈચ્છિક લૉકડાઉનની શરૂઆતમાં ત્રણ દિવસ સંપૂર્ણ લૉકડાઉન બાદ સમયાંતરે આંશિક લૉકડાઉન કરતા વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખ્યા હતા. વેપારીઓએ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શરૂ કરાયેલી કોરોના સંક્રમણ અટકાવવાની લડાઈમાં સાથ સહકાર આપ્યો હતો. જોકે, હવે કોડીનારમાં બજાર ફરી શરૂ થતા લોકોની ચહલપહલ જોવા મળી હતી. આ સાથે જ વેપારીઓમાં મંદીમાંથી બહાર આવવાનો મોકો મળ્યો હતો.
![કોડીનારમાં સ્વૈચ્છિક લૉકડાઉનની થઈ પૂર્ણાહુતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12009445_kodinar_gjc1026.jpg)