ETV Bharat / state

ગાંધીનગર એન્ટ્રી ગેટ બંધ, 33 પોઇન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

author img

By

Published : Mar 24, 2020, 12:13 PM IST

Updated : Mar 24, 2020, 12:39 PM IST

કોરોના વાઇરસના કારણે સમગ્ર ગુજરાતને 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગરમાં એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ ગાંધીનગરની અંદર પ્રવેશ ન મેળવી શકે તે માટે ગાંધીનગરનો મુખ્ય એન્ટ્રી પોઈન્ટ સર્કલ 4 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં ત્રણ DYSPને ખાસ પ્રકારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

gandhinagar
gandhinagar

ગાંધીનગર:કોરોના વાઇરસના કારણે સમગ્ર ગુજરાતને 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગરમાં એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ ગાંધીનગરની અંદર પ્રવેશ ન મેળવી શકે તે માટે ગાંધીનગરનો મુખ્ય એન્ટ્રી પોઈન્ટ સર્કલ 4 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં ત્રણ DYSPને ખાસ પ્રકારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ગાંધીનગર એન્ટ્રી ગેટ બંધ, 33 પોઇન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
પોલીસ બંદોબસ્ત અંગે ગાંધીનગરના SP મયુર ચાવડાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, "ગાંધીનગરના જે કુલ 33 એન્ટ્રી પોઈન્ટ છે તે તમામ એન્ટ્રી પોઇન્ટ પર ખાસ પોલીસ બંદોસ્ત ગોઠવાયો છે. સામાન્ય લોકોને પ્રવેશ આપવાથી રોકવા માટે ખાસ સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત 15 જેટલી પોલીસની ટીમ બનાવીને ગાંધીનગરના અલગ-અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેથી જો કોઈ વ્યક્તિ પોતાની દુકાન ખોલે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસમાં ગાંધીનગર પોલીસ દ્વારા બે જેટલા કેસ નોંધયા છે.ગાંધીનગર એન્ટ્રી પોઈન્ટના તમામ ચાર રસ્તા પર ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યાંથી માત્ર સરકારી કર્મચારીઓને જ પ્રવેશ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 31 માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં લઈને ગાંધીનગરમાં માત્ર સરકારી કર્મચારીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર:કોરોના વાઇરસના કારણે સમગ્ર ગુજરાતને 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગરમાં એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ ગાંધીનગરની અંદર પ્રવેશ ન મેળવી શકે તે માટે ગાંધીનગરનો મુખ્ય એન્ટ્રી પોઈન્ટ સર્કલ 4 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં ત્રણ DYSPને ખાસ પ્રકારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ગાંધીનગર એન્ટ્રી ગેટ બંધ, 33 પોઇન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
પોલીસ બંદોબસ્ત અંગે ગાંધીનગરના SP મયુર ચાવડાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, "ગાંધીનગરના જે કુલ 33 એન્ટ્રી પોઈન્ટ છે તે તમામ એન્ટ્રી પોઇન્ટ પર ખાસ પોલીસ બંદોસ્ત ગોઠવાયો છે. સામાન્ય લોકોને પ્રવેશ આપવાથી રોકવા માટે ખાસ સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત 15 જેટલી પોલીસની ટીમ બનાવીને ગાંધીનગરના અલગ-અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેથી જો કોઈ વ્યક્તિ પોતાની દુકાન ખોલે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસમાં ગાંધીનગર પોલીસ દ્વારા બે જેટલા કેસ નોંધયા છે.ગાંધીનગર એન્ટ્રી પોઈન્ટના તમામ ચાર રસ્તા પર ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યાંથી માત્ર સરકારી કર્મચારીઓને જ પ્રવેશ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 31 માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં લઈને ગાંધીનગરમાં માત્ર સરકારી કર્મચારીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
Last Updated : Mar 24, 2020, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.