દર વર્ષની જેમ પરંપરાગત રીતે જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ભંડારો યોજાયો હતો. જેની શરૂઆતમાં અનેક સાધુ-સંતોએ ભાગ લીધો હતો. અંદાજિત બે હજાર કરતા પણ વધુ સાધુ-સંતોએ ભંડારાનો પ્રસાદ મેળવ્યો હતો. ઉપરાંત મંદિર પ્રશાસન દ્વારા સાધુસંતોને દક્ષિણા અને ભેટ પણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા પણ ભંડારામાં આવેલા સાધુ-સંતો અને અલગથી દક્ષિણા આપીને આશીર્વાદ મેળવવા આવ્યા હતા. સાધુ સંતો ઉપરાંત 25000 થી વધુ ભક્તોએ ભંડારમાંથી પ્રસાદ મેળવ્યો હતો.