ETV Bharat / state

Impact Fee : રાજ્ય સરકારના ઇમ્પેક્ટ ફીના વટહુકમને હાઇકોર્ટમાં પડકારાયો

author img

By

Published : Feb 8, 2023, 9:10 PM IST

ગુજરાત હાઇકોર્ટમાં ઇમ્પેક્ટ ફીના વટહુકમને પડકારવામાં આવ્યો છે. અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કાયદો તોડી ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરી સરકાર બંધારણીય માળખું હલાવી શકે નહીં.

Impact Fee : રાજ્ય સરકારના ઇમ્પેક્ટ ફીના વટહુકમને હાઇકોર્ટમાં પડકારાયો
Impact Fee : રાજ્ય સરકારના ઇમ્પેક્ટ ફીના વટહુકમને હાઇકોર્ટમાં પડકારાયો

અમદાવાદઃ રાજ્ય સરકાર તાજેતરમાં ઇમ્પેક્ટ ફીને લઈને વટુહુકમ બહાર પાડ્યો હતો.આ ઇમ્પેક્ટ ફીના વટહુંકમને રાજ્યમાં દસ વર્ષ બાદ ફરી જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે. તેમાં નિયમ આધીન ગેરકાયદેસર બાંધકામ નિયમિત થઈ શકશે એવો રાજ્ય સરકાર દ્વારા વટહુકમ જારી કરવામાં આવ્યો છે. એ વટહુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકારને નોટિસ ઈશ્યુ કરી છે.

ઇમ્પેક્ટ ફીના વટહુકમને પડકારવામાં આવ્યો : ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર દ્વારા રાજ્ય સરકારના ઇમ્પેક્ટ ફીના વટહુકમને પડકારવામાં આવ્યો છે. જેમાં અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, કાયદો તોડી ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરી સરકાર બંધારણીય માળખું હલાવી શકે નહીં.

આ પણ વાંચો ગુજરાતમાં ઈમ્પેક્ટ ફી બિલ સર્વાનુમતે પસાર; કેવા બાંધકામ કાયદેસર થશે?

બંધારણીય માળખાથી વિરુદ્ધ : આ સમગ્ર મામલે અરજદારની મુખ્યત્વે એ રજૂઆત છે કે જે પણ ગેરકાયદેસર અને અનિયમિત બાંધકામ છે તેમની સામે કાર્યવાહી થવી જરૂરી છે. પરંતુ તેને બદલે રાજ્ય સરકાર ઇમ્પેક્ટ ફી લઈને અનિયમિત બાંધકામને જે નિયમિત કરી રહી છે તે બંધારણીય માળખાથી વિરુદ્ધ છે. આ રજૂઆત અરજદાર દ્વારા કરવામાં આવી હતી.

રાજ્ય સરકારને નોટિસ ઈશ્યુ : આ સમગ્ર મામલે હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ રાજ્ય સરકારને નોટિસ ઈશ્યુ કરી છે અને સમગ્ર મામલે ખુલાસો પણ માંગ્યો છે. મહત્વનું છે કે બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી એક્ટના અમલવારીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી છે. તેમાં પણ આ બાબતને લઈને હાઇકોર્ટ આગળની કાર્યવાહી થઈ શકે છે.

ઇમ્પેક્ટ ફી શું છે? : ગુજરાતમાં શહેરી વિસ્તારમાં સ્થળાંતર વધવાના કારણે મિલકતોની માંગમાં પણ વધારો થતો ગયો છે. રાજ્યમાં ઝડપી શહેરીકરણને કારણે રહેણાંકમાં વિસ્તારના મકાનની માંગના આધારે ગેરકાયદેસર બાંધકામનું પ્રમાણ પણ ઘણું વધતું ગયું હોય છે. ગેરકાયદેસર બનેલી સોસાયટી ,ફ્લેટ સહિતની મિલકતોમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થતા હતા ત્યારે આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વટહુકમ લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો ગુજરાતમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ થશે, કરોડોની મિલકતો થશે હવે કાયદામાન્ય

ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા વટહુંકમ : ગુજરાત સરકારે વર્ષ 2001 અને વર્ષ 2011માં પણ ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા વટહુંકમ બહાર પાડ્યો હતો. ગેરકાયદેસર બાંધકામને કારણે મોટા પ્રમાણમાં મકાન તોડવા પડે તેવી સ્થિતિ હોવાના કારણે કાયદા અને વ્યવસ્થા ઉપર પણ સવાલ ઉભા થતા હતા. આ સમગ્ર કારણોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઇમ્પેક્ટ ફીમાં કોણ અરજી કરી શકે? : ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે આ વટહુકમ લાગુ થયા ના ચાર મહિનાની મુદતની અંદર અરજી કરવાની હોય છે. એક કરતાં વધુ માલિક અથવા કબજો ધરાવનાર કિસ્સામાં તમામ માલિક અથવા કબજો ધરાવનાર વ્યક્તિએ સંયુક્ત રીતે અરજી કરવાની હોય છે. એક કરતાં વધુ માલિકી ધરાવતા કિસ્સામાં સત્તા અધિકારી યોગ્ય લાગે તેની તપાસ કર્યા બાદ ખાતરી આપે ત્યારબાદ જ અરજદારોની અરજી કરવા પરવાનગી આપી શકે છે.

શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો : અત્રે નોંધનીય છે કે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદના વિધાનસભા સત્રના બીજા જ દિવસે ઇમ્પેક્ટ ફી મામલે સરકાર દ્વારા વટહુકમ લાવવામાં આવ્યો હતો. આ વટહુકમમાં રાજ્યના ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરવાની વિગતવાર જોગવાઈ કરવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત અનઅધિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022’ વિના વિરોધે પસાર કરાયું હતું. આ બિલ મુજબ નક્કી કરવામાં આવેલી ફી ચૂકવીને બાંધકામને નિયમિત કરી શકાશે.

રાજ્ય સરકાર આ મામલે જવાબ રજૂ કરશે : આ સમગ્ર મામલે હવે ગુજરાત હાઇકોર્ટમાં બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી એક્ટની અમલવારીની જાહેર હિતની જે અરજી કરવામાં આવી છે તેમાં પણ ઇમ્પેક્ટ ફીની આ અરજીને પણ સાંકળી લેવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે હવે હાઇકોર્ટે અત્યારે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. ત્યારે આગામી સુનાવણીમાં રાજ્ય સરકાર આ મામલે જવાબ રજૂ કરવામાં આવશે. આ મુદ્દે વધુ સુનવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

અમદાવાદઃ રાજ્ય સરકાર તાજેતરમાં ઇમ્પેક્ટ ફીને લઈને વટુહુકમ બહાર પાડ્યો હતો.આ ઇમ્પેક્ટ ફીના વટહુંકમને રાજ્યમાં દસ વર્ષ બાદ ફરી જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે. તેમાં નિયમ આધીન ગેરકાયદેસર બાંધકામ નિયમિત થઈ શકશે એવો રાજ્ય સરકાર દ્વારા વટહુકમ જારી કરવામાં આવ્યો છે. એ વટહુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકારને નોટિસ ઈશ્યુ કરી છે.

ઇમ્પેક્ટ ફીના વટહુકમને પડકારવામાં આવ્યો : ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર દ્વારા રાજ્ય સરકારના ઇમ્પેક્ટ ફીના વટહુકમને પડકારવામાં આવ્યો છે. જેમાં અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, કાયદો તોડી ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરી સરકાર બંધારણીય માળખું હલાવી શકે નહીં.

આ પણ વાંચો ગુજરાતમાં ઈમ્પેક્ટ ફી બિલ સર્વાનુમતે પસાર; કેવા બાંધકામ કાયદેસર થશે?

બંધારણીય માળખાથી વિરુદ્ધ : આ સમગ્ર મામલે અરજદારની મુખ્યત્વે એ રજૂઆત છે કે જે પણ ગેરકાયદેસર અને અનિયમિત બાંધકામ છે તેમની સામે કાર્યવાહી થવી જરૂરી છે. પરંતુ તેને બદલે રાજ્ય સરકાર ઇમ્પેક્ટ ફી લઈને અનિયમિત બાંધકામને જે નિયમિત કરી રહી છે તે બંધારણીય માળખાથી વિરુદ્ધ છે. આ રજૂઆત અરજદાર દ્વારા કરવામાં આવી હતી.

રાજ્ય સરકારને નોટિસ ઈશ્યુ : આ સમગ્ર મામલે હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ રાજ્ય સરકારને નોટિસ ઈશ્યુ કરી છે અને સમગ્ર મામલે ખુલાસો પણ માંગ્યો છે. મહત્વનું છે કે બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી એક્ટના અમલવારીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી છે. તેમાં પણ આ બાબતને લઈને હાઇકોર્ટ આગળની કાર્યવાહી થઈ શકે છે.

ઇમ્પેક્ટ ફી શું છે? : ગુજરાતમાં શહેરી વિસ્તારમાં સ્થળાંતર વધવાના કારણે મિલકતોની માંગમાં પણ વધારો થતો ગયો છે. રાજ્યમાં ઝડપી શહેરીકરણને કારણે રહેણાંકમાં વિસ્તારના મકાનની માંગના આધારે ગેરકાયદેસર બાંધકામનું પ્રમાણ પણ ઘણું વધતું ગયું હોય છે. ગેરકાયદેસર બનેલી સોસાયટી ,ફ્લેટ સહિતની મિલકતોમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થતા હતા ત્યારે આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વટહુકમ લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો ગુજરાતમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ થશે, કરોડોની મિલકતો થશે હવે કાયદામાન્ય

ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા વટહુંકમ : ગુજરાત સરકારે વર્ષ 2001 અને વર્ષ 2011માં પણ ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા વટહુંકમ બહાર પાડ્યો હતો. ગેરકાયદેસર બાંધકામને કારણે મોટા પ્રમાણમાં મકાન તોડવા પડે તેવી સ્થિતિ હોવાના કારણે કાયદા અને વ્યવસ્થા ઉપર પણ સવાલ ઉભા થતા હતા. આ સમગ્ર કારણોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઇમ્પેક્ટ ફીમાં કોણ અરજી કરી શકે? : ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે આ વટહુકમ લાગુ થયા ના ચાર મહિનાની મુદતની અંદર અરજી કરવાની હોય છે. એક કરતાં વધુ માલિક અથવા કબજો ધરાવનાર કિસ્સામાં તમામ માલિક અથવા કબજો ધરાવનાર વ્યક્તિએ સંયુક્ત રીતે અરજી કરવાની હોય છે. એક કરતાં વધુ માલિકી ધરાવતા કિસ્સામાં સત્તા અધિકારી યોગ્ય લાગે તેની તપાસ કર્યા બાદ ખાતરી આપે ત્યારબાદ જ અરજદારોની અરજી કરવા પરવાનગી આપી શકે છે.

શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો : અત્રે નોંધનીય છે કે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદના વિધાનસભા સત્રના બીજા જ દિવસે ઇમ્પેક્ટ ફી મામલે સરકાર દ્વારા વટહુકમ લાવવામાં આવ્યો હતો. આ વટહુકમમાં રાજ્યના ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરવાની વિગતવાર જોગવાઈ કરવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત અનઅધિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022’ વિના વિરોધે પસાર કરાયું હતું. આ બિલ મુજબ નક્કી કરવામાં આવેલી ફી ચૂકવીને બાંધકામને નિયમિત કરી શકાશે.

રાજ્ય સરકાર આ મામલે જવાબ રજૂ કરશે : આ સમગ્ર મામલે હવે ગુજરાત હાઇકોર્ટમાં બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી એક્ટની અમલવારીની જાહેર હિતની જે અરજી કરવામાં આવી છે તેમાં પણ ઇમ્પેક્ટ ફીની આ અરજીને પણ સાંકળી લેવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે હવે હાઇકોર્ટે અત્યારે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. ત્યારે આગામી સુનાવણીમાં રાજ્ય સરકાર આ મામલે જવાબ રજૂ કરવામાં આવશે. આ મુદ્દે વધુ સુનવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.