બિજીંગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ મુલાકાત પછી, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે ભારત અને ચીન સરહદ પર તણાવ ઘટાડવા લશ્કરી અને રાજદ્વારી ચેનલો દ્વારા વાટાઘાટો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈ પણ પક્ષ (ભારત અથવા ચીન) એ આવું કોઈ કામ ન કરવું જોઈએ, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધે.
શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન અને ભારત વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અચાનક લેહની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન સીડીએસ (ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ) જનરલ બિપિન રાવત પણ વડાપ્રધાન સાથે હાજર રહ્યા હતા. વડા પ્રધાન લેહમાં સૈનિકોને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા.