ETV Bharat / city

રાજકોટમાં ઘરમાંથી મળી આવેલા ત્રણ ભાઈ બહેનોની જાણો અત્યારે કેવી છે પરિસ્થિતિ

author img

By

Published : Dec 30, 2020, 8:06 PM IST

Updated : Dec 30, 2020, 8:36 PM IST

રાજકોટમાં કિસાનપરા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં બંધ રહીને અઘોરી જેવી જિંદગી જીવતા ત્રણ ભાઈ બહેનોને ઘરમાંથી બહાર કાઢ્યા બાદ આજે તેમને તેમના સ્વજનોના ઘરે રાખવામાં આવ્યા છે. તેમજ સામાજિક સંસ્થા દ્વારા આ ત્રણેય ભાઈ બહેનોને તેઓ 10 વર્ષ પહેલા કેવું જીવન જીવતા હતા તે તમામ બાબતો યાદ કરાવવામાં આવી રહી છે. ડોક્ટર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ત્રણેય ભાઈ બહેન પણ ધીમે ધીમે સામાન્ય જીવન જીવવાની કોશિશ કરી રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે.

રાજકોટમાં ઘરમાંથી મળી આવેલા ત્રણ ભાઈ બહેનોની જાણો અત્યારે કેવી છે પરિસ્થિતિ
રાજકોટમાં ઘરમાંથી મળી આવેલા ત્રણ ભાઈ બહેનોની જાણો અત્યારે કેવી છે પરિસ્થિતિ

  • રાજકોટમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઘરમાં બંધ રહી અઘોરી જેવી જીંદગી જીવી રહ્યા હતા ભાઈ બહેન
  • ડોક્ટર દ્વારા હાલ આ ત્રણેયનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે
  • ત્રણેય ભાઈ બહેન સામાન્ય જીવન જીવવાની કરી રહ્યા છે કોશિશ

રાજકોટઃ શહેરમાં કિસાનપરા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં બંધ રહીને અઘોરી જેવી જિંદગી જીવતા ત્રણ ભાઈ બહેનોને ઘરમાંથી બહાર કાઢ્યા બાદ આજે તેમને તેમના સ્વજનોના ઘરે રાખવામાં આવ્યા છે. તેમજ સામાજિક સંસ્થા દ્વારા આ ત્રણેય ભાઈ બહેનોને તેઓ 10 વર્ષ પહેલા કેવું જીવન જીવતા હતા તે તમામ બાબતો યાદ કરાવવામાં આવી રહી છે. ડોક્ટર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ત્રણેય ભાઈ બહેન પણ ધીમે ધીમે સામાન્ય જીવન જીવવાની કોશિશ કરી રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે.

ગત 27 ડિસેમ્બરના રોજ ત્રણેય ભાઈ બહેન ખૂબ ગંભીર અવસ્થામાં મળી આવ્યા હતા

ETV ભારત દ્વારા સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલ સાથે આ અંગે વાતચીત કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, આ ત્રણેય ભાઈ બહેન અમને ગત 27 ડિસેમ્બરના રોજ ખૂબ ગંભીર અવસ્થામાં મળી આવ્યા હતા. પરંતુ હાલ અમે તેમની કાળજી લઈને તેમને તેમના ફોઈના ઘરે રાખ્યા છે. જ્યાં તેમની સારવાર પણ અમે શરૂ કરાવી છે. જ્યારે આ ત્રણેય ભાઈ બહેન મળ્યા હતા તેના કરતાં હાલ પરિસ્થિતિ સુધરી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે, અમે તેમને જૂની વસ્તુઓ યાદ કરવાનો પ્રયાસ કરાવી રહ્યા છીએ.

ત્રણેય ભાઈ-બહેન ખૂબ શિક્ષિત હોવાનું આવ્યું સામે

આ ત્રણેય ભાઈ-બહેનમાં મોટા ભાઈનું નામ અંબરીશ મહેતા છે. તેણે વકીલનો અભ્યાસ કર્યો છે. તેમજ તે વકીલાત પણ કરતો હતો. બીજા નંબરે મેઘા મહેતા નામની બહેન છે, તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. ત્રીજા નંબરનો ભાઈ ભાવેશ મહેતા છે, તે પણ ઇકોનોમીમાં બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ છે. ત્રણે ભાઈ બહેનો ભણેલા હોવા છતાં આ પ્રકારની પરિસ્થિતિમાં મળી આવ્યા હોવાના કારણે ચકચાર મચી હતી.

તેમની સાથે શુ બનાવ બન્યો તે કહેવામાં હજુ તેઓ સક્ષમ નહી

આ ત્રણેય ભાઈ બહેન ભણેલા હોવા છતાં પણ આવી ગંભીર પરિસ્થિતિમાં મળી આવ્યા હતા. જેને લઈને હાલ તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી આ ત્રણે ભાઈ બહેન સાથે અગાઉ શુ બન્યું હતું અને તેઓ આવી પરિસ્થિતિમાં કેમ આવ્યા તે જણાવવામાં તેઓ સક્ષમ નથી. ડોક્ટર દ્વારા પણ તેમની સાથે ક્યાં પ્રકારના બનાવ ભૂતકાળમાં બન્યા હતા તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભાવેશ મહેતાની મેમરી રિકોલિંગ કરવાની પ્રક્રિયા શરૂ

આ ત્રણેયભાઈ બહેનોની સારવાર શરૂ કરવામાં આવી રહી છે. જ્યારે ભાવેશ મહેતાની મેમરી રિકોલિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં તેને અગાઉ ક્રિકેટનો શોખ હતો તેને લઈને તેને ક્રિકેટ રમાડવામાં આવી રહ્યો છે. આ સાથે જ તે ક્યાં ક્યાં વિસ્તારમાં અગાઉ બેસતો તેના મિત્ર કોણ કોણ હતા, તે તમામને ઓળખે તેમજ જૂની વાતો યાદ આવે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં ઘરમાંથી મળી આવેલા ત્રણ ભાઈ બહેનોની જાણો અત્યારે કેવી છે પરિસ્થિતિ

  • રાજકોટમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઘરમાં બંધ રહી અઘોરી જેવી જીંદગી જીવી રહ્યા હતા ભાઈ બહેન
  • ડોક્ટર દ્વારા હાલ આ ત્રણેયનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે
  • ત્રણેય ભાઈ બહેન સામાન્ય જીવન જીવવાની કરી રહ્યા છે કોશિશ

રાજકોટઃ શહેરમાં કિસાનપરા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં બંધ રહીને અઘોરી જેવી જિંદગી જીવતા ત્રણ ભાઈ બહેનોને ઘરમાંથી બહાર કાઢ્યા બાદ આજે તેમને તેમના સ્વજનોના ઘરે રાખવામાં આવ્યા છે. તેમજ સામાજિક સંસ્થા દ્વારા આ ત્રણેય ભાઈ બહેનોને તેઓ 10 વર્ષ પહેલા કેવું જીવન જીવતા હતા તે તમામ બાબતો યાદ કરાવવામાં આવી રહી છે. ડોક્ટર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ત્રણેય ભાઈ બહેન પણ ધીમે ધીમે સામાન્ય જીવન જીવવાની કોશિશ કરી રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે.

ગત 27 ડિસેમ્બરના રોજ ત્રણેય ભાઈ બહેન ખૂબ ગંભીર અવસ્થામાં મળી આવ્યા હતા

ETV ભારત દ્વારા સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલ સાથે આ અંગે વાતચીત કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, આ ત્રણેય ભાઈ બહેન અમને ગત 27 ડિસેમ્બરના રોજ ખૂબ ગંભીર અવસ્થામાં મળી આવ્યા હતા. પરંતુ હાલ અમે તેમની કાળજી લઈને તેમને તેમના ફોઈના ઘરે રાખ્યા છે. જ્યાં તેમની સારવાર પણ અમે શરૂ કરાવી છે. જ્યારે આ ત્રણેય ભાઈ બહેન મળ્યા હતા તેના કરતાં હાલ પરિસ્થિતિ સુધરી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે, અમે તેમને જૂની વસ્તુઓ યાદ કરવાનો પ્રયાસ કરાવી રહ્યા છીએ.

ત્રણેય ભાઈ-બહેન ખૂબ શિક્ષિત હોવાનું આવ્યું સામે

આ ત્રણેય ભાઈ-બહેનમાં મોટા ભાઈનું નામ અંબરીશ મહેતા છે. તેણે વકીલનો અભ્યાસ કર્યો છે. તેમજ તે વકીલાત પણ કરતો હતો. બીજા નંબરે મેઘા મહેતા નામની બહેન છે, તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. ત્રીજા નંબરનો ભાઈ ભાવેશ મહેતા છે, તે પણ ઇકોનોમીમાં બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ છે. ત્રણે ભાઈ બહેનો ભણેલા હોવા છતાં આ પ્રકારની પરિસ્થિતિમાં મળી આવ્યા હોવાના કારણે ચકચાર મચી હતી.

તેમની સાથે શુ બનાવ બન્યો તે કહેવામાં હજુ તેઓ સક્ષમ નહી

આ ત્રણેય ભાઈ બહેન ભણેલા હોવા છતાં પણ આવી ગંભીર પરિસ્થિતિમાં મળી આવ્યા હતા. જેને લઈને હાલ તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી આ ત્રણે ભાઈ બહેન સાથે અગાઉ શુ બન્યું હતું અને તેઓ આવી પરિસ્થિતિમાં કેમ આવ્યા તે જણાવવામાં તેઓ સક્ષમ નથી. ડોક્ટર દ્વારા પણ તેમની સાથે ક્યાં પ્રકારના બનાવ ભૂતકાળમાં બન્યા હતા તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભાવેશ મહેતાની મેમરી રિકોલિંગ કરવાની પ્રક્રિયા શરૂ

આ ત્રણેયભાઈ બહેનોની સારવાર શરૂ કરવામાં આવી રહી છે. જ્યારે ભાવેશ મહેતાની મેમરી રિકોલિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં તેને અગાઉ ક્રિકેટનો શોખ હતો તેને લઈને તેને ક્રિકેટ રમાડવામાં આવી રહ્યો છે. આ સાથે જ તે ક્યાં ક્યાં વિસ્તારમાં અગાઉ બેસતો તેના મિત્ર કોણ કોણ હતા, તે તમામને ઓળખે તેમજ જૂની વાતો યાદ આવે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં ઘરમાંથી મળી આવેલા ત્રણ ભાઈ બહેનોની જાણો અત્યારે કેવી છે પરિસ્થિતિ
Last Updated : Dec 30, 2020, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.