- કોરોનામાં લોકોનો તણાવ વધ્યો
- દિવસના 20 ફોન આવતા હતા તે 100 થયા
- ગુજરાતભરમાંથી આવે છે લોકોના કોલ
ગાંધીનગર : જીવન આસ્થા હેલ્પલાઇન 2015થી ચાલી રહી છે, પરંતુ કોરોનામાં રોજના 100 ફોન માનસિક તણાવ અનુભવી રહેલા લોકોના આવી રહ્યા છે. 1800,233,3330 હેલ્પલાઇન નંબર પર લોકો ફોન કરી રહ્યા છે. જોકે આ પહેલા માત્ર 20 જેટલા ફોન આવતા હતા. લોકો ફોન કરી કાઉન્સિલરો પાસે, મને કોરોના થઈ જશે તો ? મારા પરિવારને કોરોના થઈ જશે તો ?, મને કોરોના થઈ જશે તો હું આત્મહત્યા કરી લઈશ ? તે પ્રકારે લોકો ફોન પર જણાવી રહ્યા છે. જે માટે SP ઓફિસમાં સાત કાઉન્સિલર અને એક સિનિયર કાઉન્સિલર બેસાડવામાં આવ્યા છે. જેઓ લોકોનું કાઉન્સિલિંગ કરી તેમને પોઝિટિવિટી તરફ વાળી રહ્યા છે. જીવન આસ્થા દ્વારા 24 કલાક લોકોને હેલ્પલાઇનથી મદદ પહોંચાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો : કોરોનાના વધતા કેસના કારણે નરસિંહ મહેતા યુનિવર્સિટીએ શરૂ કરેલી માનસિક સ્વાસ્થ્યની હેલ્પલાઈન સેવા લંબાવાઈ
કિસ્સો 1 : ભાવનગરથી એક મહિલાનો ફોન આવ્યો અને કહ્યું મને કોરોના થઈ જશે તો હું આત્મહત્યા કરી લઈશ
ભાવનગરથી એક મહિલાનો ફોન આવ્યો અને આ મહિલાએ ફોન કરીને જણાવ્યું કે, મને કોરોનાથી બહુ જ ડર લાગી રહ્યો છે. આ પરિસ્થિતિમાં હું મારી જાતને હેન્ડલ કરી શકતી નથી. જો મને કોરોના થઈ જશે તો હું સ્યુસાઈડ જ કરી લઈશ. આ પ્રકારના પેશન્ટે ફોન કરતા કાઉન્સિલરની ટીમ એલર્ટ થઈ જાય છે અને જરૂર પડે તો સિનિયર સાયકોલોજીસ્ટ સાથે વાત કરાવે છે. જે બાદ મહિલાને ફોલો કરવામાં આવી અને કાઉન્સેલિંગ કરી તેની માનસિકતા દૂર કરવાનો પ્રયત્ન આ હેલ્પલાઇન દ્વારા કરવામાં આવ્યો હતો.
![જીવન આસ્થા હેલ્પલાઈન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnagar-11-sp-office-jivan-astha-corona-helpline-rtu-7210015_04052021172909_0405f_1620129549_519.jpg)