ETV Bharat / city

ભાનગરમાં કરોડોના ખર્ચે બનેલો RCC રોડ પાણીમાં

author img

By

Published : Nov 13, 2019, 6:34 PM IST

ભાવનગર: શહેરના કુંભારવાડા જેવા વિસ્તારમાં કરોડોના ખર્ચે બનેલો આર.સી.સી રોડ સુવિધાને બદલે દુવીધામા બદલાયો છે. મનપા જાહેરમાં ખોદકામ કરતી કંપનીઓને રોકી શકતી નથી. તો બીજી બાજૂ નવા રસ્તા પર થયેલા દબાણ દુર કરવામાં મનપાને રસ ન હોય તેવું લાગી રહ્યું છે.

ભાનગરમાં કરોડોના ખર્ચે બનેલો RCC રોડ પાણીમાં

ભાવનગરમાં કરોડોના ખર્ચે બનેલા રોડ પર દબાણો થઇ ગયા છે અને પુલનું કામ પણ પૂર્ણ કરવામાં આવતું નથી. PGVCLના ગેરકાયદે ખોદકામથી રોડની હાલત ખરાબ થઇ ચુકી છે. વરસાદી માહોલની જેમ લોકો ભરાયેલા પાણી વચ્ચે વાહનો ચલાવવા મજબુર થયા છે. કરોડો ખર્ચીંને આર.સી.સી રોડ બનાવ્યા બાદ હાલાકી ખત્મ નહીં થતા લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, પ્રજાના પૈસાનું પાણી કરાયું છે, તથા વિપક્ષે શાસક પક્ષ પર અણઆવડતનો આક્ષેપ કર્યો છે. તો અધિકારીઓ પોતાનો બચાવ કરવામાં લાગ્યા છે.

ભાનગરમાં કરોડોના ખર્ચે બનેલો RCC રોડ પાણીમાં

શહેરમાં એક તરફ શાસક પક્ષ વિકાસના કામોના ખાતમહુર્તમાં વ્યસ્ત છે તો બીજી તરફ સામાન્ય લોકોના ટેક્ષના કરોડો રૂપિયામાંથી કરવામાં આવતા કામો અધૂરા છોડી દેવામાં આવે છે. શહેરના મોતી તળાવ વિસ્તારમાંથી પસાર થતો રોડ કે જે અમદાવાદ શોર્ટ હાઇવેને મળે છે, આ રોડને લોકોની સુખાકારી માટે આર.સી.સી ફોર લાઈન રોડ બનાવામાં આવ્યો છે. પરંતુ, હાલની પરિસ્થિતિમાં કરોડોના ખર્ચે બનેલો રોડ ગાયબ થઇ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. મનપા દ્વારા કોઈ પણ પ્રકારના આયોજન વગર પ્રજાના પૈસા પાણીમાં નાખવા માટે કામો થતા હોય તેમ કરોડોના ખર્ચે બનેલા રોડ પર પુલનું કામ અટકીને પડ્યું છે. ઉપરાંત ખાનગી કંપનીઓએ રોડમાં પાઈપલાઇન નાખવા માટે ખોદકામ કરીને પ્રજાના પૈસા પાણીમાં જતા હોય તેવો અહેસાસ કરાવી દીધો છે.

રોડની એક તરફ ચાલતા કામને પગલે નીકળતું પાણી રસ્તા પર ઢોળવામાં આવે છે, જેથી રસ્તા પર વરસાદી માહોલ જોવા મળે છે. જેથી લોકોને પાણીમાં ચાલવા મજબુર થવું પડે છે. આયોજનના અભાવે મહાનગરપાલિકા દ્વારા કરેલા કામોને લીધે લોકોને સુવિધાને બદલે દુવિધામાં વધારો થયો છે અને અધિકારી શાસકો અને તેમનો બચાવ કરતા હોઈ તેવા જવાબો આપી રહ્યા છે.

શહેરમાં રસ્તાના કામ પૂર્ણ થઇ ગયા પછી પી.જી.વી.સી.એલ તથા ગેસ કંપનીઓ મંજૂરી મેળવ્યા વિના રસ્તામાં ખોદકામ કરી રહી છે. છતાં પણ મનપા આંખે પાટો બાંધી ચુપચાપ જોઈ રહી છે. પ્રજા જો ટેક્ષ ન ભરી શકે તો ઢોલ વગાડીને ટેક્ષ ઉઘરાવામાં આવે છે, તથા મનપા જાહેરમાં ટેક્ષ ધારકની ઈજ્જતને ઉછાળે છે. તે જ મનપા આ કંપનીઓ વિરૂદ્ધ કેમ કોઈ જાતની કાર્યવાહી કરતું નથી.

ભાવનગરમાં કરોડોના ખર્ચે બનેલા રોડ પર દબાણો થઇ ગયા છે અને પુલનું કામ પણ પૂર્ણ કરવામાં આવતું નથી. PGVCLના ગેરકાયદે ખોદકામથી રોડની હાલત ખરાબ થઇ ચુકી છે. વરસાદી માહોલની જેમ લોકો ભરાયેલા પાણી વચ્ચે વાહનો ચલાવવા મજબુર થયા છે. કરોડો ખર્ચીંને આર.સી.સી રોડ બનાવ્યા બાદ હાલાકી ખત્મ નહીં થતા લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, પ્રજાના પૈસાનું પાણી કરાયું છે, તથા વિપક્ષે શાસક પક્ષ પર અણઆવડતનો આક્ષેપ કર્યો છે. તો અધિકારીઓ પોતાનો બચાવ કરવામાં લાગ્યા છે.

ભાનગરમાં કરોડોના ખર્ચે બનેલો RCC રોડ પાણીમાં

શહેરમાં એક તરફ શાસક પક્ષ વિકાસના કામોના ખાતમહુર્તમાં વ્યસ્ત છે તો બીજી તરફ સામાન્ય લોકોના ટેક્ષના કરોડો રૂપિયામાંથી કરવામાં આવતા કામો અધૂરા છોડી દેવામાં આવે છે. શહેરના મોતી તળાવ વિસ્તારમાંથી પસાર થતો રોડ કે જે અમદાવાદ શોર્ટ હાઇવેને મળે છે, આ રોડને લોકોની સુખાકારી માટે આર.સી.સી ફોર લાઈન રોડ બનાવામાં આવ્યો છે. પરંતુ, હાલની પરિસ્થિતિમાં કરોડોના ખર્ચે બનેલો રોડ ગાયબ થઇ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. મનપા દ્વારા કોઈ પણ પ્રકારના આયોજન વગર પ્રજાના પૈસા પાણીમાં નાખવા માટે કામો થતા હોય તેમ કરોડોના ખર્ચે બનેલા રોડ પર પુલનું કામ અટકીને પડ્યું છે. ઉપરાંત ખાનગી કંપનીઓએ રોડમાં પાઈપલાઇન નાખવા માટે ખોદકામ કરીને પ્રજાના પૈસા પાણીમાં જતા હોય તેવો અહેસાસ કરાવી દીધો છે.

રોડની એક તરફ ચાલતા કામને પગલે નીકળતું પાણી રસ્તા પર ઢોળવામાં આવે છે, જેથી રસ્તા પર વરસાદી માહોલ જોવા મળે છે. જેથી લોકોને પાણીમાં ચાલવા મજબુર થવું પડે છે. આયોજનના અભાવે મહાનગરપાલિકા દ્વારા કરેલા કામોને લીધે લોકોને સુવિધાને બદલે દુવિધામાં વધારો થયો છે અને અધિકારી શાસકો અને તેમનો બચાવ કરતા હોઈ તેવા જવાબો આપી રહ્યા છે.

શહેરમાં રસ્તાના કામ પૂર્ણ થઇ ગયા પછી પી.જી.વી.સી.એલ તથા ગેસ કંપનીઓ મંજૂરી મેળવ્યા વિના રસ્તામાં ખોદકામ કરી રહી છે. છતાં પણ મનપા આંખે પાટો બાંધી ચુપચાપ જોઈ રહી છે. પ્રજા જો ટેક્ષ ન ભરી શકે તો ઢોલ વગાડીને ટેક્ષ ઉઘરાવામાં આવે છે, તથા મનપા જાહેરમાં ટેક્ષ ધારકની ઈજ્જતને ઉછાળે છે. તે જ મનપા આ કંપનીઓ વિરૂદ્ધ કેમ કોઈ જાતની કાર્યવાહી કરતું નથી.

Intro:ભાવનગર મનપાનો કરોડોનો નવો આરસીસી રસ્તો સુવિધાને બદલે દુવીધામા બદલાયો Body:કુંભારવાડા જેવા વિસ્તારમાં કરોડોના ખર્ચે બનેલો આરસીસી રસ્તો સુવિધાને બદલે દુવીધામા બદલાયો છે ટેક્ષ ભરપાય ના થાય તો ઢોલ વગાડવાના અને જાહેરમાં ટેક્ષ ધારકની ઈજ્જત ઉછળતી મનપા રસ્તામાં જાહેરમાં ખોદકામ કરતી ક્મ્પ્નીઓને રોકી શક્તિ નથી તો નવા રસ્તા પર થયેલા દબાણ પણ દુર કરવામાં રસ નથી ચોમાસાના નામે એજ રસ્તા પર હજુ પુલનું કામ કર્યું નથી બોલો રસ્તો સુવિધા માટે કે દુવિધા માટે ?Conclusion:એન્કર -  ભાવનગરના મોતીતળાવ રોડ બનવવામાં આવ્યો છે કરોડોને ખર્ચે બનેલા રોડ પર દબાણો થઇ ગયા છે તો પુલનું કામ કરવામાં આવતું નથી તો બીજી તરફ રોડની એક બાજુ પીજીવીસીએલએ ગેરકાયદેસર ખોદકામ કરીને માટી રસ્તા પર મુક્ત રોડની હાલત ખરાબ થઇ ચુકી છે વરસાદી માહોલની જેમ ભરાયેલા પાણી વચ્ચે વાહનો અને લોકો ચાલી રહ્યા છે કરોડો ખર્ચીંજે આરસીસી રોડ બનાવ્યા બાદ હાલાકી ખત્મ નહી થતા લોકો આક્ષેપ કરી રહ્યા છે કે પ્રજાના પૈસાનું પાણી કરાયું છે વિપક્ષનો શાસક પર અણઆવડતનો આક્ષેપ છે તો અધિકારીઓ બચાવ કરી રહ્યા છે 

વીઓ-૧- ભાવનગર શહેરમાં એક તરફ સાશક પક્ષ વિકાસના કામોના ખાતમહુર્તમાં વ્યસ્ત છે અને બીજી બાજુ લોકોના ટેક્ષના કરોડો રૂપિયા માંથી કરવામાં આવતા કામો અધૂરા મૂકી દેવામાં આવે છે. ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તાર માંથી પસાર થતો રોડ કે જે અમદાવાદ શોર્ટ હાઇવેને મળે આ રોડને લોકોની સુખાકારી માટે આરસીસી ફોર લાઈન રોડ બનાવામાં આવ્યો છે પણ હાલ આ રોડની પરિસ્થિતિ જોવા જઈએ તો કરોડોના ખર્ચે બનેલો આરસીસી રોડ ક્યાંક ગાયબ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે . મનપા દ્વારા કોઈ પણ પ્રકારના આયોજન વગર પ્રજાના પૈસા પાણીમાં નાખવા માટે કામો કરતા હોય તેમ કરોડોના ખર્ચે બનેલા આરસીસી રોડ પર પુલનું કામ અટકીને પડ્યું છે. તેમજ પીજીવીસીએલના પોલ રોડની મધ્યમાં ઉભા છે છતાં મનપા દ્વાર આરસીસી રોડ બનાવી દેવામાં આવ્યો છે. આયોજન વગર બનાવેલો રોડથી હાલ લોકોને ચાલવાને બદલે ભંગારના વેપારીઓને વપરાશ માટે બનાવ્યો હોય તેમ મોટા મોટા દબાણો ખડકાય ગયેલા દેખાય છે બીજી તરફ રોડ બની ગયા બાદ જેટકો કંપની દ્વારા લાઈન નાખવા માટે રોડની બાજુમાં ખોદ કામ કરતા તમામ માટી રોડ પર નાખવામાં આવતા એક તરફનો રોડ તો તદ્દન બંધ થઇ ગયો છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે પ્રજાના પૈસાનું પાણી લઈને પ્રજાને હાલકી આપી રહેઅલ શાસકોમાં આવડત નથી.

બાઈટ- જયદીપસિંહ ગોહિલ (વિરોધ પક્ષના નેતા,ભાવનગર)

વીઓ-૨-  રોડની એક તરફ ચાલતા કામને પગલે નીકળતું પાણી રસ્તા પર ઢોળવામાં આવે છે જેથી વરસાદી માહોલ રસ્તા પર જોવા મળે છે અને વાહનો પણ તેમાં ચાલે છે તો લોકોને પણ મજબુરીમાં ચાલવું પડે છે આ કેવી સુવિધા કે જેમાં દુવિધા વધુ છે પીજીવીસીએલ, પાણી, ડ્રેનેજ અને ગેસ કંપનીઓની સાથે સંકલના અભાવને લઇ કોઈ પણ કામો સમયસર અને યોગ્ય ગુણવતા સાથે પૂરું થતું નથી અને પ્રજાના કરોડોના પૈસા પાણીમાં જાય છે. આયોજનના અભાવે મહાનગર પાલિકા દ્વારા કરેલા કામોને લીધે લોકોને સુવિધાને બદલે દુવિધામાં વધારો થયો છે અને અધિકારી શાસકો અને તેમનો બચાવ કરતા હોઈ તેવા જવાબો આપી રહ્યા છે જુઓ ચોમાસું પૂર્ણ થયું હોવા છતાં પુલનું કામ હજુ એક અઠવાડિયા બાદ શરુ થશે તો દબાણ વિષે રોડ અધિકારી ખો આપી રહ્યા છે કે એસ્ટેટ વિભાગને જાણ કરી દેવામાં આવી છે અધિકારીઓના જવાબ જ સ્પષ્ટ કરે છે કે કામમાં ધાંધિયા પાછળ અણાવડત છે 

બાઈટ- એમ ડી મકવાણા (રોડ અધિકારી,ભાવનગર મહાનગરપાલિકા)

વીઓ-૩- શહેરમાં રસ્તાના કામ પહેલા થાય છે અને બાદમ ગટર અને પછી પીજીવીસીએલ અને ગેસ કંપનીઓ મંજુરી વગર ખોદકામ રસ્તા પર કરી રહ્યા છે અને મનપા ચુપચાપ જોઈ રહી છે આખરે કોના ઈશારે મતલબ સાફ છે કે પ્રજા જો ટેક્ષ નો ભરે તો ઢોલ વગાડીને ટેક્ષ ઉઘરાવીને ટેક્ષ ધારકની ઈજ્જતને જાહેરમાં ઉછાળવામાં બાકી નહી રાખતી મનપા અહિયાં આખરે કેમ ચુપ રહે છે મતલબ સાફ છે ગોલમાલ હે ભાઈ ગોલમાલ હે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.