વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો બે દિવસનો માલદીવ અને શ્રીલંકા પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આંધ્રપ્રદેશના તિરૂપતિ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં PM મોદીનું CM જગન રેડ્ડીએ સ્વાગત કર્યું હતું. તેઓ અહીં તિરૂમલા સ્થિત વેંકટેશ્વર મંદિર જઇ પૂજા અર્ચના કરશે.
PM મોદીએ તિરુમલા મંંદિરમાં પૂજા-અર્ચના કરી પૂજા કર્યા બાદ PM મોદી અને આધ્રંપ્રદેશના મુખ્ય પ્રધાન જગન રેડ્ડી બેઠક કરશે ત્યાર બાદ PM મોદી દિલ્હી રવાના થશે.
PM મોદીએ તિરુમલા મંંદિરમાં પૂજા-અર્ચના કરી ઉલ્લેખનીય છે કે, આ પહેલા PM મોદી શ્રીલંકાથી ભારત આવવા રવાના થયા હતા. મંદિરના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રીલંકા પ્રવાસ પૂરો કર્યા બાદ PM મોદી કોંલંબોથી તિરૂપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર પહોંચ્યા હતા.
મહત્વનું છે કે, માલદીવ યાત્રા કરવા પહેલા PM મોદી ત્રિશુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે પ્રસિદ્ધ ગુરૂવાયર મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી.