ગુજરાત

gujarat

પોરબંદર જિલ્લાના ગામડામાં પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓની સરાહનીય કામગીરી, જુઓ વીડિયો

By

Published : Sep 5, 2020, 10:54 PM IST

પોરબંદરઃ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મીનસાર નદીમાં પણ પાણીના પ્રવાહમાં વધારો થયો હતો. નીચાણવાળા આ વિસ્તારમાં આવતા ખેતરોમાં પાણી તારાજી સર્જી હતી. વરસાદના કારણે પોરબંદરના ભોડદર ગામે પીવાના પાણીની લાઈનમાં ખામી સર્જાઈ હતી. પાણી પમ્પ સુધી પહોંચતું ન હોવાથી મુશ્કેલી સર્જાઇ હતી. 7 દિવસ સુધી નદીમાં પાણી હોવાના કારણે જઈ શકાતું ન હતું. ત્યારે શનિવારે પાણી ઓસરતાં પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓએ પાણીમાં જઇને માહામુસીબતે આ પાઇપલાઇનનું સમારકામ હાથ ધરી કચરો બહાર કાઢ્યો હતો. આ કામગીરીને સરપંચ સરાહનીય ગણાવી હતી.

ABOUT THE AUTHOR

...view details