કર્ણાટક: ભારતનો બહુપ્રતીક્ષિત ચંદ્રયાન 3 પ્રોજેક્ટ સફળ થયો છે. વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. વિક્રમ લેન્ડર ચંદ્ર પર ઉતર્યાના થોડા કલાકો બાદ પ્રજ્ઞાન રોવર લેન્ડરમાંથી બહાર આવ્યું હતું. હાલમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર શોધ શરૂ કરી દીધી છે. સમગ્ર વિશ્વ ISROના વૈજ્ઞાનિકોની સિદ્ધિની ઉજવણી કરી રહ્યું છે.
Chandrayaan-3 Success: ચંદ્રયાન 3ની સફળતા પર બે દંપતિએ તેમના બાળકોના નામ રાખ્યા વિક્રમ અને પ્રજ્ઞાન
Published : Aug 26, 2023, 7:06 PM IST
ચંદ્રયાન 3ની સફળતાથી આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે. ત્યારે કર્ણાટકના બે યુગલોએ તેમના બાળકોના નામ વિક્રમ અને પ્રજ્ઞાન રાખ્યા છે.
![Chandrayaan-3 Success: ચંદ્રયાન 3ની સફળતા પર બે દંપતિએ તેમના બાળકોના નામ રાખ્યા વિક્રમ અને પ્રજ્ઞાન Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-08-2023/1200-675-19365686-thumbnail-16x9-.jpg)
બાળકોના નામ વિક્રમ અને પ્રજ્ઞાન: ચંદ્ર પર આ ઐતિહાસિક ઉતરાણની યાદમાં આ ખુશીની ક્ષણમાં, માતાપિતાએ તેમના નવજાત બાળકોના નામ વિક્રમ અને પ્રજ્ઞાન રાખ્યું છે. યાદગીરી જિલ્લાના વડગેરા શહેરમાં એક જ પરિવારમાં જન્મેલા બે બાળકોના નામ વિક્રમ અને પ્રજ્ઞાન રાખવામાં આવ્યું છે. બલપ્પા અને નાગમ્મા દંપતીના બાળકનું નામ વિક્રમ છે. જ્યારે નિંગપ્પા અને શિવમ્મા દંપતીના બાળકનું નામ પ્રજ્ઞાન રાખવામાં આવ્યું છે.
24 ઓગસ્ટના રોજ નામકરણ:વિક્રમ નામના બાળકનો જન્મ 28 જૂને થયો હતો અને પ્રજ્ઞાન નામના બાળકનો જન્મ 14 ઓગસ્ટે થયો હતો. આ બંનેની નામકરણ 24 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. માતા-પિતાએ કહ્યું કે તેઓએ ભારતની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવા અને ચંદ્રયાન 3 ની સફળતા માટે ISROને અભિનંદન આપવા માટે તેમનું નામ રાખ્યું છે. કૃષિ પર આધારિત પરિવારે નવજાત બાળકોના નામ વિક્રમ અને પ્રજ્ઞાન રાખીને ચંદ્રયાનની સફળતાની ઉજવણી કરી હતી.