વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના મહત્વના મુદ્દાઓ...
- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન, નવા યુગની શરુઆત થઈ છે
- આ નિર્ણયથી કરોડો લોકોનું સપનું પુરુ થયુ છે.
- કલમ 370 અને 35Aનો પાકિસ્તાને લાભ લીધો છે.
- કલમ 35Aથી અલગાવવાદીઓને પ્રોત્સાહન મળ્યુ હતું.
- ત્રણ દાયકામાં જમ્મુૃ-કાશ્મીરના 42 હજાર જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો.
- અત્યાર સુધીની સરકારે માત્ર વાહવાહી લુંટી છે.
- જમ્મુ-કાશ્મીરના દોઢ કરોડ જેટલા લોકો તેમના અધિકારોથી વંચિત હતાં.
- સફાઈ કર્મચારીઓ, અનુસુચિત જાતિ અને જનજાતિના લોકોને તેમના લાભ મળતા નહોતાં.
- આ નિર્ણયથી લોકોનું વર્તમાન અને ભવિષ્ય સુધરશે.
- કેન્દ્ર અને રાજ્ય સરકારની જગ્યાઓ પર સ્થાનિક લોકોની ભરતી કરાશે.આ માટે સેના અને અર્ધસરકારી દળોની મદદથી ભરતી મેળા યોજાશે.
- પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજનાનો વિસ્તાર કરાશે. યુવાનોને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહીત કરાશે.
- કેટલાક સમય માટે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કેન્દ્ર સરકારના શાસનનો નિર્ણય વિચારીને લેવાયો છે.
- જમ્મુ કાશ્મીરને ફરીથી રાજ્ય બનાવીશું, લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ જ રહેશે.
- કાગળ પર વર્ષોથી લટકેલી યોજનાઓનો અસરકારક રીતે અમલ કરાશે.
- જમ્મુ-કાશ્મીરના લોકો તેમની વચ્ચેથી જ તેમના માટે જનપ્રતિનિધીઓ ચૂંટે. જેથી નાગરીકો તેમના અધિકારો બેરોકટોક પણે મેળવી શકશે.
- જમ્મુ-કાશ્મીરમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાશે.
- જેમ બને તેમ જલ્દી બ્લોગ ડેવલોપમેન્ટ કાઉન્સીલની રચના કરાશે.
- સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને ખાસ કરીને મહિલા પ્રતિનિધીઓ ખૂબ સારુ કામ કરી રહ્યા છે.
- સ્થાનિક લોકો જ તેમના વિસ્તારના વિકાસની કમાન સંભાળે.
- કાશ્મીર દુનિયાનું સૌથી મોટુ ટુરિઝમ પોઈન્ટ બનશે.
- કાશ્મીરમાં ફરીથી ફિલ્મોનું શુટિંગ શરુ થશે. પહેલા મોટાભાગની ફિલ્મોનું શુટિંગ કાશ્મીરમાં થતુ હતું.
- હિન્દી,તેલુગુ અને તામિલ ફિલ્મ ઉદ્યોગોને મારો આગ્રહ છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં થીયેટર, શુટિંગ માટે રોકાણ કરે.
- ફિલ્મ ઉદ્યોગ તેની સાથે રોજગારીની તકો પણ લાવશે.
- ટેક્નોલોજીનો વિસ્તાર કરી ડીજીટલ કોમ્યુનિકેશને પ્રોત્સાહન અપાશે.
- સરકારના આ નિર્ણયનો લાભ ખેલરત્નોને પણ મળશે, નવી સ્પોર્ટસ અકાદમી, સ્ટેડિયમ બનાવીશું જેથી કાશ્મીરી યુવાનો પોતાની પ્રતિભા દુનિયા સામે મુકી શકે.
- જમ્મુ કાશ્મીરની પ્રખ્યાત અને સ્થાનિક પ્રોડક્ટસનો પ્રસાર દુનિયાભરમાં કરાશે.
- 370 કલમ રદ કરવાના નિર્ણય અંગે મતભેદ ધરાવતા લોકોએ દેશહિતને સર્વોપરી ગણી આ પ્રદેશના વિકાસ માટે સરકારનો સહયોગ આપવો જોઈએ.
- જમ્મુ કાશ્મીર માટે શહિદી આપનારા લોકોનું સપનુ પુરુ કરવાનું છે.
- સરકારના આ નિર્ણયથી ભારતની આર્થિક પ્રગતિમાં પણ સહયોગ મળશે.
- જમ્મુ-કાશ્મીરના દેશભક્તો જ અલગાવવાદીઓને જવાબ આપશે.