ગુજરાત

gujarat

દિલ્હીમાં કોરોનાના 903 કેસ, મૃત્યુઆંક વધીને 14 પર

By

Published : Apr 11, 2020, 8:03 AM IST

રાજધાનીમાં દિલ્હીમાં એક દિવસમાં 183 કેસો નોંધાયા છે. જેની સાથે કુલ પોઝિટિવ કેસ 903 છે. કુલ કેસોમાંથી 584 માર્ચમાં નિઝામુદ્દીન વિસ્તારમાં બનેલા ધાર્મિક જમાત સાથે સંબંધિત છે.

Coronavirus
Coronavirus

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે કોરોના વાઈરસ કેસની કુલ સંખ્યા 903 પર પહોંચી ગઈ હતી, જેમાં એક દિવસમાં 183 નવા કેસ અને બે લોકોના મૃત્યુ નોંધાયા હોવાનું દિલ્હી સરકારના અધિકારીઓએ જણાવ્યું છે.

કુલ કેસોમાંથી 584 કેસ માર્ચ મહિનામાં નિઝામુદ્દીન વિસ્તારમાં બનેલી ધાર્મિક જમાત સાથે સંબંધિત છે. ગુરુવાર રાત સુધી શહેરમાં જીવલેણ વાઈરસના કેસોની સંખ્યા 720 જેટલી હતી. જેમાં 12 લોકોના મોતના થયા છે. આમ, વધુ બે લોકોના મોતના અહેવાલ સાથે દિલ્હીમાં કોવિડ-19નો મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો છે.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, કુલ કેસોમાંથી 26 લોકો રિકવર થયા છે અને એક દેશમાંથી બહાર નીકળી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details