ગુજરાત

gujarat

Amritpal Singh Arrested: અમૃતપાલસિંહ પકડાયા બાદ હવે અસમ મોકલવાની તૈયારીઓ શરૂ

By

Published : Apr 23, 2023, 8:29 AM IST

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહને પંજાબ પોલીસે પકડી લીધો છે. પંજાબના મોંગામાં આવેલા એક ગુરૂદ્વારામાં તેમણે સરેન્ડર કરી દેતા પોલીસે એને પકડી લીધો હતો. એ પછી તેને અમૃતસર લઈ જવામાં આવ્યો હતો. અમૃતસરથી અસમ મોકલવા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. ડિબ્રુગઢ જેલમાં એને બંધ કરી દેવામાં આવશે. સુત્રોમાંથી એવી પણ વિગત સામે આવી હતી કે, અમૃતપાલસિંહે જ પોલીસને સુચના આપી હતી. એ પછી તે સરેન્ડર થયો હતો.

Amritpal Singh Arrested: અમૃતપાલસિંહ પકડાયા બાદ હવે અસમ મોકલવાની તૈયારીઓ શરૂ
Amritpal Singh Arrested: અમૃતપાલસિંહ પકડાયા બાદ હવે અસમ મોકલવાની તૈયારીઓ શરૂ

મોંગાઃભાગેડુ ખાલિસ્તાની નેતા અને 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહની પંજાબ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ રવિવારે સવારે મોગાના રોડવાલ ગુરુદ્વારામાં આત્મસમર્પણ કર્યું હતું. હવે પોલીસ તેને અમૃતસર લઈ ગઈ છે. જ્યાંથી આરોપીઓને સીધા આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવશે. અમૃતપાલના તમામ સહયોગી પહેલાથી જ આ જેલમાં બંધ છે. પોલીસે એમને અસમ મોકલવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમૃતપાલ સિંહની મોગાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ છીરીમાં બંગાળી પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલ્યો, ઓળખીતાઓ જ નીકળ્યા કાવતરાખોર

શનિવારે મોડી રાત્રે ઈનપુટઃઅમૃતપાલ શનિવારે સાંજે આ ગામના ગુરુદ્વારા પહોંચ્યો હતો. અકાલ તખ્તના પૂર્વ જથેદાર જસવીર સિંહે અમૃતપાલ વિશે પોલીસને માહિતી આપી હતી. તારીખ 23 ફેબ્રુઆરીના રોજ અમૃતપાલ સિંહે પોતાના સમર્થકો સાથે અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશન પર એક સહયોગીને છોડવાની માંગણી સાથે દરોડો પાડ્યો હતો, જેના પછી લગભગ 3 અઠવાડિયા પછી મુખ્ય આરોપીની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ ભાગેડુ અમૃતપાલ પોલીસની ટીમોને ચકમો આપી રહ્યો હતો.

પંજાબ પોલીસની અપીલઃપંજાબ પોલીસે પણ આ વાત સ્વીકારી છે કે, અમૃતપાલસિંહની ધરપકડ કરી લેવાઈ છે. પંજાબ પોલીસે લોકોને શાંતિ રાખવા માટેની અપીલ કરી છે. આ ઉપરાંત અમૃતપાલ સંબંધીત કોઈ મુદ્દો કે વાવડ કોઈ જ માધ્યમ પર શેર ન કરવા માટેની અપીલ કરી છે. પંજાબ પોલીસ આ આરોપીને ઘણા સમયથી શોધી રહી હતી. જેને લઈને પોલીસે એક ઑપરેશન પણ પાર પાડ્યું હતું. પણ એ સમયે અમૃતપાલસિંહ પોલીસથી ભાગવામાં સફળ થયો હતો.

આ પણ વાંચોઃ Amritpal Surrender: આખરે ભાગેડુ અમૃતપાલ સિંહ પકડાયો

પત્નીની ધરપકડઃ અમૃતપાલસિંહ સરેન્ડર કરે એ પહેલા એની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી હતી. એની પત્નીનું નામ કિરણદીપ કૌર છે. કિરણદીપની ગુરૂ રામદાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી. જે એર ઈન્ડિયાની ફ્લાઈથી બર્મિંઘમ જઈ રહી હતી. કાયદાકીય પગલાં લેવામાં આવતા એની યાત્રા કરવાની મંજૂરી રદ્દ કરી દેવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details