ગુજરાત

gujarat

Rajasthan News : NEETની તૈયારી કરી રહેલા યુપીના એક વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

By

Published : Jun 28, 2023, 6:19 PM IST

કોટામાં એક જ દિવસમાં વધુ એક આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં કોચિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના રહેવાસી આદિત્ય તરીકે થઈ છે. તે દોઢ મહિના પહેલા જ કોટા આવ્યો હતો.

a-neet-aspirant-youth-commits-suicide-in-kota-rajasthan
a-neet-aspirant-youth-commits-suicide-in-kota-rajasthan

કોટા:શિક્ષણના શહેર કોટામાં બીજી આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે. જેમાં કોટામાં રહેતા કોચિંગ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીની ઓળખ આદિત્ય તરીકે થઈ છે. જે મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાનો રહેવાસી હતો. છેલ્લા દોઢ મહિનાથી તે કોટા સ્થિત પ્રાઈવેટ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં રહીને મેડિકલમાં પ્રવેશની તૈયારી કરી રહ્યો હતો. અગાઉ બપોરે પણ મેહુલ વૈષ્ણવના વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો. તે ઉદયપુરના સલમ્બરથી કોટા આવ્યા બાદ NEETની તૈયારી પણ કરી રહ્યો હતો.

વિદ્યાર્થીએ કર્યો આપઘાત:સીઆઈ દેવેશ ભારદ્વાજે જણાવ્યું કે વિદ્યાર્થી આદિત્યની ઉંમર 17 થી 18 વર્ષની આસપાસ છે. તે વિજ્ઞાનનગર સેક્ટર 2માં ઝુલેલાલ મંદિર પાસેના પીજીમાં ભાડે રૂમ લેતો હતો. આજે મંગળવારે સાંજે મકાન માલિક પોલીસ મથકે આવ્યા હતા. તેમણે આ ઘટના અંગે માહિતી આપી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે વિદ્યાર્થી આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યો હતો. સીઆઈ ભારદ્વાજ એમ પણ કહે છે કે આદિત્યના એક મિત્રએ તેને સાંજે ડિનર માટે બોલાવ્યો હતો. કોલ રિસીવ ન થતાં તે તેના રૂમમાં આવ્યો, પરંતુ રૂમ અંદરથી બંધ હતો. તેમજ તેણે દરવાજો ખટખટાવ્યા બાદ પણ ખોલ્યો ન હતો. તે પછી જ તેને શંકા ગઈ અને પછી તેણે મકાનમાલિકને તેની જાણ કરી.

આપઘાતનું કારણ અકબંધ:વિદ્યાર્થી આદિત્યને મકાન માલિક અને અન્ય લોકોએ બપોરે 3:00 વાગ્યાની આસપાસ જોયો હતો. ત્યાં સુધી તેનું વર્તન સામાન્ય હતું. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થીના રૂમને તાળું મારી દેવામાં આવ્યું છે. તેમજ તેના પરિવારના સભ્યોના આગમન બાદ જ રૂમ ખોલવામાં આવશે. હાલ તેમના મૃતદેહને MBS હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યો છે. આ સાથે તેના પરિવારજનોને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. તેમના આવ્યા બાદ જ પોસ્ટમોર્ટમ અને અન્ય તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ જ આપઘાતનું કારણ સ્પષ્ટ થશે. વિદ્યાર્થી આદિત્યએ પોતાના રૂમમાં જ એક કોપીમાં સુસાઈડ નોટ લખી છે. જેમાં તેણે આ ઘટના માટે પોતાને જવાબદાર ગણાવ્યા છે. તેમજ માતા-પિતાની માફી પણ માંગી હતી.

  1. Silvassa Crime : સેલવાસમાં હોટલરુમમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળ્યાં, હત્યા અને આત્મહત્યાનો કેસ
  2. Pune Crime News: પૂણેમાં એકતરફી પ્રેમમાં યુવકે કર્યો યુવતી પર હુમલો

ABOUT THE AUTHOR

...view details