મોડાસાના ઓધારી તળાવ ખાતે નર્મદા નીરના વધામણા - narmada dam tribal minister raman lal Patkar
🎬 Watch Now: Feature Video

અરવલ્લી :17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં નર્મદા નીરના વધામણા કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. નવા નીરના વધામણા પ્રસંગે અરવલ્લી જિલ્લા પ્રભારી તેમજ વન અને આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઓધારી તળાવ ખાતે વૈદિક મંત્રો કરી નવા નીર વધાવવામાં આવ્યા હતા. મોડાસા નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અમ્રુતેશ ઔરંગાબાદકર DDO, મામલતદાર, મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસર પ્રણવ પારેખ સહિત વહીવટી તંત્રના અધિકારી ,ગાયત્રી પરિવારના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.