આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તે અંગે ડાંગના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય...
ડાંગઃ જિલ્લાનાં ગરબા લોક ગાયક પ્રદીપ સોલંકીએ નવરાત્રી અને ગરબા આયોજન અંગે જણાવ્યું કે, કોરોના કાળ દરમિયાન નેતાઓની રેલીઓ યોજાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે, જે અંગે નેતાઓને છૂટછાટ આપવામાં આવે છે. પણ ગરબા માટે કેમ છુટછાટ નહિ? કોરોના કાળમાં પણ શેરીઓમા ગરબા ચાલુ રાખવા જોઈએ. ગરબા રમવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે.