આંતરાષ્ટ્રીય આત્મીય યુવા મહોત્સવનો બીજો દિવસ પૂર્ણ, ભાજપના અનેક નેતાઓ રહ્યા હાજર
વડોદરાઃ આંતરાષ્ટ્રીય આત્મીય યુવા મહોત્સવના બીજા દિવસે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ભાજપ ગુજરાત પ્રમુખ જીતુ વઘાણી, ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખું દલસાણીયાએ હાજરી આપી. ઉપસ્થિત મહાનુભાવોએ ગુરુહરિપ્રસાદ સ્વામીજીને પુષ્પમાળા અર્પણ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. યુવાનો આધ્યાત્મિક જીવન તરફ વળે, TV મોબાઈલના વળગણથી બહાર આવે અને વૈદિક સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તેવા યુવા મહોત્સનું આયોજન કરાયું છે.