ભારતમાં દિન-પ્રતિદિન ખરાબ થતી પર્યાવરણની સ્થિતિ માટે પ્લાસ્ટિક જવાબદાર છે, એટલે ભારતને પ્રદૂષણથી મુક્ત કરવા માટે સિંગલ યૂઝ પ્લાસ્ટિક સહિતની પહેલ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેની હાકલ કરી હતી. જેના પગલે પ્લાસ્ટિક મુક્ત ભારતની એક જ્યોત શુક્રવારે ગુરુકુળમાં પ્રગટાવવામાં હતી.
મેયર જગદીશ પટેલ અને શ્વેત સ્વામીના અધ્યક્ષસ્થાને ગુરુકુળ પરિસરમાં પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના સ્લોગન સાથે મેઘા ડ્રોઈંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 400 જેટલા વિદ્યાર્થીઓએ 25 મીટર બાય 27 મીટર માનવ આકૃતિ દ્વારા સમાજને ફ્રી પ્લાસ્ટિક ઇન્ડિયાનો સંદેશો પાઠવ્યો હતો અને ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવીને જ રહીશું એવી પ્રતિજ્ઞા સાથે સંકલ્પ કર્યો હતો.