ETV Bharat / state

વર્લ્ડ ફિશરીઝ ડે: પોરબંદરમાં માછીમારોની સ્થિતિ અને જળસીમાની સુરક્ષા અંગે ETVનો અહેવાલ - Porbandar on World Fisheries Day

પોરબંદર: વર્લ્ડ ફિશરીઝ દિવસ નિમિતે પોરબંદરથી ETV ભારતનો વિશેષ અહેવાલ. વિશ્વ માછીમાર દિવસે પોરબંદરથી માછીમારોની પરિસ્થિતિ અને ભારતીય જળસીમા પર સુરક્ષા સહિતના પગલા અંગેની પરિસ્થિતિ જાણવા માટે વાંચો વિશેષ અહેવાલ.

etv bharat
author img

By

Published : Nov 21, 2019, 9:55 PM IST

Updated : Nov 22, 2019, 11:29 AM IST

21 નવેમ્બરે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફિશરીઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વભરમાં અનેક લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં ગુજરાતમાં વ્યવસાયનો વ્યાપ વધારે છે. કારણ કે, ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયાકિનારો આવેલો છે.

ગુજરાત રાજ્ય દેશનું એક તૃતિયાંશ ભાગ દરિયાકિનારાનો વિસ્તાર ધરાવે છે. તેમજ ઇકોનોમિક ઝોન ધરાવતો મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું રાજ્ય છે. જે દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં 20 ટકા જેટલો ફાળો આપે છે. વળી 6 મોટા જળાશયો તથા સરદાર સરોવરના કમાન્ડિંગ એરિયામાં આંતરદેશીય મત્સ્યોદ્યોગની વિપુલ તકો ધરાવે છે. 3.75 લાખ હેક્ટર જેટલો ભાંભરા પાણીનો વિસ્તાર ધરાવતું રાજ્ય વલસાડ, સુરત, ભરૂચ સહિત પોરબંદરના દરિયા વિસ્તારોમાં પાણીમાં મત્સ્યોદ્યોગની વિપુલ તકો ધરાવે છે.

ઝીંગા જેવી વધુ કિંમત ધરાવતી માછલી મળે છે. અને માછલી માછીમારોને આર્થિક રીતે પગભર કરવામાં મદદરૂપ થાય છે. પશુધન ગણતરી 2007 મુજબ રાજ્યના 1058 ગામોમાં 5.19 લાખ માછીમારો 2.18 લાખ સક્રિય માછીમાર તેમજ વર્ષ 2017-18 દરમિયાન 25,612 યાંત્રિક હોડીઓ તથા 9920 બિનયાંત્રિક હોડીઓ ધરાવે છે. સિઝનમાં ઉત્પાદન 7.0 એક લાખ તથા આંતરદેશીય મત્સ્યો ઉત્પાદન 1.37 લાખ ટન જેટલું થાય છે .

વર્લ્ડ ફિશરીઝ ડે: પોરબંદરમાં માછીમારોની સ્થિતિ અને જળસીમાની સુરક્ષા અંગે ETVનો અહેવાલ

કરોડોનું વિદેશી હુંડીયામણ કમાવી દેશના આર્થિક વિકાસમાં મચ્છીમાર ઉદ્યોગ મહત્વનો ફાળો આપી રહ્યું છે. ત્યારે etv ભારતની ટીમ ગુરૂવારના રોજ પોરબંદરથી જખૌ સુધીના ભારતીય જળસીમા દરિયા વિસ્તારની સફરે ગઈ હતી. અને પોરબંદરના બોટ એસોસિએશનના પ્રમુખ જીવનભાઈ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, દરિયામાં પ્લાસ્ટિક પ્રદૂષણ કરતા ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણ વધુ ફેલાઈ રહ્યું છે. અને જેના કારણે દરીયાઇ સંપતિનો નાશ થઈ રહ્યો છે. આ પ્રદૂષણ અટકાવવા માટે અનેકવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે માછલીઓની આવક ઓછી રહે છે. અને પછી વધુ માછલી મેળવવા માટે માછીમારો દૂર દૂર સુધી જાય છે. અને તેઓને ભારતીય જળ સીમા ઓળંગી પાકિસ્તાનની જળ સીમામાં ભૂલથી ઘૂસી જાય છે. કારણ કે, દરિયામાં આવેલ પાણીમાં બોર્ડર કેટલી છે. તેનો ખ્યાલ નથી રહેતો અને પાકિસ્તાન મરીન સિકયુરીટી ફોર્સ દ્વારા ભારતીય બોટ તથા માછીમારોને ઝડપી લેવામાં આવે છે.

200થી વધુ માછીમારો કરાચીની જેલમાં સબડી રહ્યા છે. ત્યારે બંને દેશો દ્વારા પણ અનેકવાર આ અંગે મિટિંગ યોજાઈ છે. પરતું તેનો કોઈ ખાસ પરિણામ રિપોર્ટ આવ્યો નથી. જેથી દરિયાઈ સુરક્ષામાં જે રીતે વધારો થઈ રહ્યો છે. તેવી જ રીતે જો દરિયાઈ પ્રદૂષણ અટકાવવામાં આવે તો માછીમારોને મોટી રાહત થઈ શકે તેમ જીવન ભાઈએ જણાવ્યું હતું.

પોરબંદરથી નિમેશ ગોડલિયાનો વિશેષ અહેવાલ

21 નવેમ્બરે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફિશરીઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વભરમાં અનેક લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં ગુજરાતમાં વ્યવસાયનો વ્યાપ વધારે છે. કારણ કે, ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયાકિનારો આવેલો છે.

ગુજરાત રાજ્ય દેશનું એક તૃતિયાંશ ભાગ દરિયાકિનારાનો વિસ્તાર ધરાવે છે. તેમજ ઇકોનોમિક ઝોન ધરાવતો મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું રાજ્ય છે. જે દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં 20 ટકા જેટલો ફાળો આપે છે. વળી 6 મોટા જળાશયો તથા સરદાર સરોવરના કમાન્ડિંગ એરિયામાં આંતરદેશીય મત્સ્યોદ્યોગની વિપુલ તકો ધરાવે છે. 3.75 લાખ હેક્ટર જેટલો ભાંભરા પાણીનો વિસ્તાર ધરાવતું રાજ્ય વલસાડ, સુરત, ભરૂચ સહિત પોરબંદરના દરિયા વિસ્તારોમાં પાણીમાં મત્સ્યોદ્યોગની વિપુલ તકો ધરાવે છે.

ઝીંગા જેવી વધુ કિંમત ધરાવતી માછલી મળે છે. અને માછલી માછીમારોને આર્થિક રીતે પગભર કરવામાં મદદરૂપ થાય છે. પશુધન ગણતરી 2007 મુજબ રાજ્યના 1058 ગામોમાં 5.19 લાખ માછીમારો 2.18 લાખ સક્રિય માછીમાર તેમજ વર્ષ 2017-18 દરમિયાન 25,612 યાંત્રિક હોડીઓ તથા 9920 બિનયાંત્રિક હોડીઓ ધરાવે છે. સિઝનમાં ઉત્પાદન 7.0 એક લાખ તથા આંતરદેશીય મત્સ્યો ઉત્પાદન 1.37 લાખ ટન જેટલું થાય છે .

વર્લ્ડ ફિશરીઝ ડે: પોરબંદરમાં માછીમારોની સ્થિતિ અને જળસીમાની સુરક્ષા અંગે ETVનો અહેવાલ

કરોડોનું વિદેશી હુંડીયામણ કમાવી દેશના આર્થિક વિકાસમાં મચ્છીમાર ઉદ્યોગ મહત્વનો ફાળો આપી રહ્યું છે. ત્યારે etv ભારતની ટીમ ગુરૂવારના રોજ પોરબંદરથી જખૌ સુધીના ભારતીય જળસીમા દરિયા વિસ્તારની સફરે ગઈ હતી. અને પોરબંદરના બોટ એસોસિએશનના પ્રમુખ જીવનભાઈ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, દરિયામાં પ્લાસ્ટિક પ્રદૂષણ કરતા ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણ વધુ ફેલાઈ રહ્યું છે. અને જેના કારણે દરીયાઇ સંપતિનો નાશ થઈ રહ્યો છે. આ પ્રદૂષણ અટકાવવા માટે અનેકવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે માછલીઓની આવક ઓછી રહે છે. અને પછી વધુ માછલી મેળવવા માટે માછીમારો દૂર દૂર સુધી જાય છે. અને તેઓને ભારતીય જળ સીમા ઓળંગી પાકિસ્તાનની જળ સીમામાં ભૂલથી ઘૂસી જાય છે. કારણ કે, દરિયામાં આવેલ પાણીમાં બોર્ડર કેટલી છે. તેનો ખ્યાલ નથી રહેતો અને પાકિસ્તાન મરીન સિકયુરીટી ફોર્સ દ્વારા ભારતીય બોટ તથા માછીમારોને ઝડપી લેવામાં આવે છે.

200થી વધુ માછીમારો કરાચીની જેલમાં સબડી રહ્યા છે. ત્યારે બંને દેશો દ્વારા પણ અનેકવાર આ અંગે મિટિંગ યોજાઈ છે. પરતું તેનો કોઈ ખાસ પરિણામ રિપોર્ટ આવ્યો નથી. જેથી દરિયાઈ સુરક્ષામાં જે રીતે વધારો થઈ રહ્યો છે. તેવી જ રીતે જો દરિયાઈ પ્રદૂષણ અટકાવવામાં આવે તો માછીમારોને મોટી રાહત થઈ શકે તેમ જીવન ભાઈએ જણાવ્યું હતું.

પોરબંદરથી નિમેશ ગોડલિયાનો વિશેષ અહેવાલ

Intro:જુઓ વર્લ્ડ ફિશરીઝ દીવસ નિમિતે પોરબંદર થી વિશેષ અહેવાલ વિશ્વ માછીમાર દિવસ પર etv ભારત દ્વારા વિશેષ અહેવાલ પોરબંદર થી માછીમારોની પરિસ્થિતિ અને ભારતીય જળસીમા પર સુરક્ષા સહિતના પગલા અંગે ની પરિસ્થિતિ જાણો


Body:૨૧ નવેમ્બર a સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફીસિરીસ ડે તરીકે ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વભરમાં અનેક લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં ગુજરાતમાં વ્યવસાયનો વ્યાપ વધારે છે કારણ કે ગુજરાતમાં ૧૬૦૦ કિ.મી.નો દરિયાકિનારો આવેલો છે ગુજરાત રાજ્ય દેશનું એક તૃતિયાંશ ભાગ દરિયાકિનારા નો વિસ્તાર ધરાવે છે તેમજ ઇકોનોમિક ઝોન ધરાવતો મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું રાજ્ય છે જે દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ૨૦ ટકા જેટલો ફાળો આપે છે વળી છ મોટા જળાશયો તથા મોટા જળાશય તથા સરદાર સરોવરના કમાન્ડિંગ એરિયામાં આંતરદેશીય મત્સ્યોદ્યોગની વિપુલ તકો ધરાવે છે 3.75 લાખ હેક્ટર જેટલો ભાંભરા પાણી નો વિસ્તાર ધરાવતું રાજ્ય વલસાડ સુરત ભરૂચ સહિત પોરબંદરના દરિયા વિસ્તારોમાં પાણી માં મત્સ્યોદ્યોગની વિપુલ તકો ધરાવે છે જેમાં ઝીંગા જેવી વધુ કિંમત ધરાવતી માછલી મળે છે અને માછલી માછીમારોને આર્થિક રીતે પગભર કરવામાં મદદરૂપ થાય છે પશુધન ગણતરી 2007 મુજબ રાજ્યના 1058 ગામોમાં 5.19 લાખ માછીમારો 2.18 લાખ સક્રિય માછીમાર વર્ષ 2017 18 દરમિયાન 25000 612 યાંત્રિક હોડીઓ તથા 9920 બિનયાંત્રિક હોડીઓ ધરાવે છે સિઝનમાં ઉત્પાદન 7.0 એક લાખ તથા આંતરદેશીય મત્સ્યો ઉત્પાદન 1.37 લાખ મે.ટન જેટલું થાય છે આમ કરોડોનું વિદેશી હુંડીયામણ કમાવી દેશના આર્થિક વિકાસમાં મચ્છીમાર ઉદ્યોગ મહત્વનો ફાળો આપી રહ્યું છે ત્યારે etv ભારતની ટીમ આજે પોરબંદર થી જખૌ સુધીના ભારતિય જળસીમાં દરિયા વિસ્તાર ની સફરે ગઈ હતી અને પોરબંદરના બોટ એસોસિએશનના પ્રમુખ જીવનભાઈ જિંદગી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે દરિયામાં પ્લાસ્ટિક પ્રદૂષણ કરતા ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણ વધુ ફેલાઈ રહ્યું છે અને જેના કારણે દરીયાઇ સંપતિ નો નાશ થઈ રહ્યું છે આ પ્રદૂષણ અટકાવવા માટે અનેકવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે માછલીઓની આવક ઓછી રહે છે અને પછી વધુ માછલી મેળવવા માટે માછીમારો દૂર દૂર સુધી જાય છે અને તેઓને ભારતીય જળ સીમા ઓળંગી પાકિસ્તાનની જળ સીમામાં ભૂલથી ઘૂસી જાય છે કારણ કે દરિયામાં આવેલ પાણીમાં બોર્ડર કેટલી છે તેનો ખ્યાલ નથી રહેતો અને પાકિસ્તાન મરીન સિકયુરીટી ફોર્સ દ્વારા ભારતીય બોટ તથા માછીમારોને ઝડપી લેવામાં આવે છે હાલ 200થી વધુ માછીમારો કરાચીની જેલમાં સબડી રહ્યા છે ત્યારે બંને દેશો દ્વારા પણ અનેકવાર આ અંગે મિટિંગ યોજાઈ છે પરંતુ તેનો કોઈ ખાસ પરિણામ રિપોર્ટ આવ્યો નથી આથી દરિયાઈ સુરક્ષા માં જે રીતે વધારો થઈ રહ્યો છે તેવી જ રીતે જો દરિયાઈ પ્રદૂષણ અટકાવવામાં આવે તો માછીમારોને મોટી રાહત થઈ શકે તેમ જીવન ભાઈએ જણાવ્યું હતું


Conclusion:લાઈવ કરેલું હતું જેમાંથી વિસ્યુલ લેવા
Last Updated : Nov 22, 2019, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.