ETV Bharat / state

Cyclone Biparjoy : વાવાઝોડાને પગલે પોરબંદરની મુલાકાતે બાવળિયા, લોકોની સુવિધાને લઈને અધિકારીઓને આપ્યું માર્ગદર્શન - Porbandar Parchi Gosa Cyclone Centre

બિપરજોય વાવાઝોડાને લઈને કુંવરજી બાવળીયાએ પોરબંદરના વિવિધ વિસ્તારોની મુલાકાતે છે. વાવાઝોડાને પગલે બાવળીયા ટુકડા ગોસા ખાતે કાર્યરત સાઇક્લોન સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમજ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્તોને રહેવા, જમવા અને આરોગ્યની સુવિધા પૂરી પાડતા જાણકારી આપી હતી.

Cyclone Biparjoy : વાવાઝોડાને પગલે પોરબંદરની મુલાકાતે બાવળિયા, લોકોની સુવિધાને લઈને અધિકારીઓને આપ્યું માર્ગદર્શન
Cyclone Biparjoy : વાવાઝોડાને પગલે પોરબંદરની મુલાકાતે બાવળિયા, લોકોની સુવિધાને લઈને અધિકારીઓને આપ્યું માર્ગદર્શન
author img

By

Published : Jun 12, 2023, 3:10 PM IST

વાવાઝોડાને લઈને કુંવરજી બાવળીયાએ પોરબંદરની મુલાકાતે

પોરબંદર : જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આગાહી સંદર્ભે પ્રભારી કુંવરજી બાવળીયાએ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડુ ટકરાવાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વધુ ખતરો જોવા મળી રહ્યા છે. જેને લઈને કુંવરજી બાવળીયા પોરબંદર જિલ્લા પ્રશાસનને જરૂરી તકેદારી રાખવા અને સલામતી માટે આગોતરા પગલાં માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રશાસન દ્વારા થઈ રહેલી કામગીરી- પૂર્વ તૈયારીઓથી મંત્રી અવગત થયા હતા.

કુંવરજી બાવળીયાની વિવિધ વિસ્તારમાં મુલાકાત : પોરબંદર જિલ્લાના પ્રવાસે આવેલા કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુવરજી બાવળીયાએ વાવાઝોડા સંદર્ભે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવાની સાથે તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કુવરજી બાવળીયાએ દરિયાઈ પટ્ટીના વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. જે સંદર્ભે ટુકડા ગોસા ખાતે કાર્યરત સાઇક્લોન સેન્ટરની મુલાકાત લીધી હતી. વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્તોને રહેવા, જમવા અને આરોગ્યની સુવિધા પૂરી પાડતા સાયકલોન સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે.

દરિયો ગાંડોતુર બન્યો : પોરબદંર વિસ્તારમાં અસરગ્રસ્તોને રહેવાના રૂમ, હોલ, કિચન, જમવા, પાણીની વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્ય વગેરે સુવિધાની જાણકારી મેળવી તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ, તલાટી કમ મંત્રીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરથી દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયામાં ભારે કરંટના કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા નાગરિકો માટે ખાસ વ્યવસ્થા તૈયાર કરી છે. વાવાઝોડાથી સાવચેતી માટે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકોએ અફવાઓમાં આવ્યા વિના સલામતી માટે સરકાર દ્વારા આપવામાં સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

  1. Gujarat Cyclone Biporjoy: ભારતીય હવામાન વિભાગે શેર કરેલા ફોટોમાં જૂઓ ચક્રવાતનો મિજાજ
  2. Cyclone Biparjoy: PM મોદી વાવાઝોડાને લઈ કરી શકે છે બેઠક, શાળા-કૉલેજમાં ત્રણ દિવસની રજા
  3. Cyclone Biparjoy Updates: જામનગરનો દરિયો બન્યો ગાંડોતુર, સ્થાનિકો માટે અવરજવર બંધ

વાવાઝોડાને લઈને કુંવરજી બાવળીયાએ પોરબંદરની મુલાકાતે

પોરબંદર : જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આગાહી સંદર્ભે પ્રભારી કુંવરજી બાવળીયાએ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડુ ટકરાવાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વધુ ખતરો જોવા મળી રહ્યા છે. જેને લઈને કુંવરજી બાવળીયા પોરબંદર જિલ્લા પ્રશાસનને જરૂરી તકેદારી રાખવા અને સલામતી માટે આગોતરા પગલાં માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રશાસન દ્વારા થઈ રહેલી કામગીરી- પૂર્વ તૈયારીઓથી મંત્રી અવગત થયા હતા.

કુંવરજી બાવળીયાની વિવિધ વિસ્તારમાં મુલાકાત : પોરબંદર જિલ્લાના પ્રવાસે આવેલા કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુવરજી બાવળીયાએ વાવાઝોડા સંદર્ભે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવાની સાથે તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કુવરજી બાવળીયાએ દરિયાઈ પટ્ટીના વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. જે સંદર્ભે ટુકડા ગોસા ખાતે કાર્યરત સાઇક્લોન સેન્ટરની મુલાકાત લીધી હતી. વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્તોને રહેવા, જમવા અને આરોગ્યની સુવિધા પૂરી પાડતા સાયકલોન સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે.

દરિયો ગાંડોતુર બન્યો : પોરબદંર વિસ્તારમાં અસરગ્રસ્તોને રહેવાના રૂમ, હોલ, કિચન, જમવા, પાણીની વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્ય વગેરે સુવિધાની જાણકારી મેળવી તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ, તલાટી કમ મંત્રીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરથી દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયામાં ભારે કરંટના કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા નાગરિકો માટે ખાસ વ્યવસ્થા તૈયાર કરી છે. વાવાઝોડાથી સાવચેતી માટે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકોએ અફવાઓમાં આવ્યા વિના સલામતી માટે સરકાર દ્વારા આપવામાં સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

  1. Gujarat Cyclone Biporjoy: ભારતીય હવામાન વિભાગે શેર કરેલા ફોટોમાં જૂઓ ચક્રવાતનો મિજાજ
  2. Cyclone Biparjoy: PM મોદી વાવાઝોડાને લઈ કરી શકે છે બેઠક, શાળા-કૉલેજમાં ત્રણ દિવસની રજા
  3. Cyclone Biparjoy Updates: જામનગરનો દરિયો બન્યો ગાંડોતુર, સ્થાનિકો માટે અવરજવર બંધ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.